તમે ડોળા કેમ કાઢો છો કહીં આધેડ દંપતીને પડોશીએ ધોકાથી મારમાર્યો - At This Time

તમે ડોળા કેમ કાઢો છો કહીં આધેડ દંપતીને પડોશીએ ધોકાથી મારમાર્યો


કલેકટર ઓફીસ પાછળ નરસંગપરામાં રહેતાં દિનેશભાઇ ભનુભાઈ નારોલા (ઉ.વ.50) અને તેના પત્ની ભગવતીબેન (ઉ.વ.45) ને પડોશી સંજય અને તેની પત્ની નંદિનીએ ઝઘડો કરી ધોકાથી ફટકારતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે ચાર દિવસ બહારગામ ગયા બાદ ઘરે પરત આવ્યા હતાં ત્યારે પડોસીનો પુત્ર રમતો હતો જેને કેમ છે બેટા પૂછતાં તે ઘરે ચાલ્યો ગયો હતો અને બાદમાં તેના માતાપિતા તેમની ઘરે દોડી આવ્યો હતાં અને મારામારી કરી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.