રાજકોટ:પ્રેમી પંખીડાએ સજોડે મોતને વ્હાલું કર્યું - At This Time

રાજકોટ:પ્રેમી પંખીડાએ સજોડે મોતને વ્હાલું કર્યું


શહેરનાં રેલનગરમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ રેલનગરમાં શ્રીજી રેસીડેન્સીમાં રહેતાં અક્ષય શૈલેષભાઈ કલોલિયા (ઉ.29) અને તેની પ્રેમિકા તૃપ્તીબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.37) ગઈ કાલ રાત્રીના બંનેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી અરેરાટી મચી જવા પામી છે. વધુમાં જાણવા મળ્યું કે આપઘાત કરનાર મહિલા બ્યુટી પાર્લરનું કામ કરતી હતી.
મૃતક મહિલાને ઈન્સ્ટાગ્રામ થકી 27 વર્ષના યુવાન સાથે સંપર્ક થતા દોઢેક વર્ષથી બંને એક બીજાના પ્રેમમાં હતા. આ મહિલા અને કુંવારા યુવાને સાતેક દિવસ પહેલા જ રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. ગત રાતે પ્રેમી યુવાન બહાર ગયો હતો. બાદ પરત ઘરે આવ્યો ત્યારે પ્રેમિકાને લટકતી હાલતમાં જોતાં હેબતાઈ ગયો હતો.
બાદ યુવકે પોતાનાં મોબાઈલમાથી મિત્રને વોઈસ મેસેજ કરી પોતાની સાથે રહેતી પ્રેમિકાએ આપધાત કર્યો છે, હવે પોતે પણ મરી જાય છે તેમ કહેતાં મિત્રએ આ વોઈસ મેસેજની જાણ પોલીસને કરતાં મિત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલાના પ્રથમ લગ્ન તેમની જ્ઞાતિમાં પંદર વર્ષ પહેલા થયા હતાં. દસેક વર્ષ પહેલા તૃપ્તિબેનનો સંપર્ક ગુરૂપ્રસાદ ચોક નજીક કૃષ્ણનગર આસપાસ રહેતાં ગેરેજ સંચાલક ભાવેશભાઈ ધ્રાંગધરીયા સાથે થયો હતો. બાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા અને એક દિકરાના માતા-પિતા બન્યા હતાં. ત્યાર બાદ પાંચેક વર્ષ પહેલાં તૃપ્તિબેને ભાવેશભાઈ સાથે છૂટાછેડા થઈ લિધા હતા. અને પોતે એકલા રહેતા હતા. બાદ અક્ષય નામનાં યુવક સાથે પ્રેમ સબંધ થયો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ કરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.