માળીયા હાટીના ખાતે સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ના હિન્દુ વિરોધી નેતાના વિરોધમાં થયા સૂત્રોચાર અને રાહુલ ગાંધીના પૂતળાં નું દહન કરાયું - At This Time

માળીયા હાટીના ખાતે સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ના હિન્દુ વિરોધી નેતાના વિરોધમાં થયા સૂત્રોચાર અને રાહુલ ગાંધીના પૂતળાં નું દહન કરાયું


માળીયા હાટીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત રાષ્ટ્રીય દળો તથા ભા જ પ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચાર કરી કર્યો વિરોધ...
માળીયા હાટીના ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના આગેવાનો પ્રધ્યમનસિહ જેઠવા,અનુપસિંહ સિસોદિયા, ગૌતમ દવે, અંકિત પાલા સહિત કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો રાહુલ ગાંધીએ તાજેતરમાં હિન્દુ ધર્મ વિશે એક નિવેદન આપ્યું હતું. જેનો માળીયા હાટીનામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મહારાણા પ્રતાપ ચોક ખાતે રાહુલ ગાંધીનું પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીના નિવેદનને લઈ દેશભરમાં વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારે માળીયા હાટીના ખાતે પણ હિન્દુ સંગઠન દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો આતકે રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી લગાવી હતી...

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.