ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા:ધ્વનિ મતથી જ લેવાયો નિર્ણય, મોદી-રાહુલે હાથ મિલાવ્યો, પછી ઓમ બિરલાને સ્પીકરની ખુરશી સુધી મુકવા ગયા - At This Time

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા:ધ્વનિ મતથી જ લેવાયો નિર્ણય, મોદી-રાહુલે હાથ મિલાવ્યો, પછી ઓમ બિરલાને સ્પીકરની ખુરશી સુધી મુકવા ગયા


ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને ધ્વની મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા. આ પહેલા ખુદ પીએમ મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. PM મોદીએ કહ્યું- ગૃહ ભાગ્યશાળી છે કે તમે બીજી વખત આ બેઠક પર બેઠા છો. મારા વતી હું તમને અને આ સમગ્ર ગૃહને અભિનંદન આપું છું. ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને ધ્વનિ મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નવા સ્પીકરને ખુરશી સુધી મુકવા ગયા હતા. આ પહેલા ખુદ પીએમ મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. PMએ કહ્યું- ઓમ બિરલાનો અનુભવ દેશ માટે ઉપયોગી થશે. રાહુલ ગાંધીએ કહ્યું- મને ખાતરી છે કે તમે વિપક્ષના અવાજને દબાવવા નહીં દો. કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી, જ્યારે જવાબ ન મળ્યો તો વિપક્ષે સ્પીકર માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો. ઓમ બિરલા બીજેપીના પહેલા નેતા છે જેઓ બીજી વખત સ્પીકર બન્યા છે. આ પહેલા કોંગ્રેસના બલરામ જાખડ સતત બે ટર્મથી સ્પીકર રહી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.