ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડા ખેડૂતો ના પ્રશ્નો માટે જસાપર થી મુળી માંડવરાયજી દાદા મંદિર સુધી પદયાત્રા યોજાશે - At This Time

ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડા ખેડૂતો ના પ્રશ્નો માટે જસાપર થી મુળી માંડવરાયજી દાદા મંદિર સુધી પદયાત્રા યોજાશે


*સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો ના પડતર પ્રશ્નોને લ‌ઈને ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડા ની પદયાત્રા*

*જસાપર બોર્ડ થી મુળી માંડવરાયજી દાદા ના મંદિરે આશીર્વાદ લેશે*

સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટી ના કીશાનસેલ ના પ્રદેશ પ્રમુખ એવા રાજુભાઈ કરપડા ખેડૂતો ના પડતર પ્રશ્નો જેવા કે એમ.એસ.પી.અને ખેડૂતો ના ખેતર સુધી નર્મદા ના નીર માટે લડત આપશે તે માટે એક પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત ના અનેક ખેડૂત આગેવાનો હાજરી આપશે અને જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમાં ફક્ત ગામદિઠ એક તળાવ ભરવા ની યોજના બનાવી છે તેનું ખાતમુર્હુત મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કામ ચાલુ કરવામાં આવેલ નથી આ યોજના માં પાઈપલાઈન દ્વારા ફક્ત એક જ તળાવ એક ગામમાં ભરવામાં આવશે તેવી યોજના છે જેથી ફક્ત પંદર વીસ ખેડૂતો ને જ પંદર દિવસ માટે પાણી મળે માટે આ યોજના ફકત લોલીપોપ સમાન સાબિત થશે તેમ રાજુભાઈ એ જણાવ્યું હતું આ પદયાત્રા માં જિલ્લા ના ખેડૂતો ઉમટી પડશે અને હવે સરકાર સામે લડી લેવા ખેડૂતો શપથ લેશે આવનાર સમય માં આ પ્રશ્નો ને લ‌ઈ મોટી લડતના મંડાણ થશે અને ખેડૂતો મોટાપાયે આંદોલન સાથે અનેક વિવિધ કાર્યક્રમ આપશે તેમ જણાવ્યું હતું મુળી માંડવરાયજી દાદા ના દર્શન કરી તમામ ખેડૂતો આશીર્વાદ લઈને આગળ ની લડત ના મંડાણ કરશે આ પદયાત્રા માં સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ તાલુકાનાં ખેડૂતો ઉમટી પડશે અને પોતાના હક્ક ની માંગણી સાથે આગામી સમયમાં આંદોલન નો માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું આ પદયાત્રા માં રાજકીય આગેવાનો પણ જોડાશે

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.