સંતરામપુર આઝાદ મેદાન ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે - At This Time

સંતરામપુર આઝાદ મેદાન ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે


મહીસાગર જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંતરામપુર તાલુકા મથકે કરાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે લુણાવાડા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક અને મહિલા,કિશોરી શિક્ષિત બને સ્વસ્થ બને, સશક્ત બને કાર્યક્રમ બાબતે બેઠક યોજાઈ હતી

સંતરામપુર આઝાદ મેદાન ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના થતા ટેબ્લોમાં સરકારશ્રીની ફ્લેગશિપ યોજનાઓ અને લોક જાગૃતિને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક સહકારી સંસ્થાઓ, વેપારી મંડળોને રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત થવા આગોતરૂં આમંત્રણ મળી જાય અને તેઓ ભાગ લે તે જોવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપી કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image