નેત્રંગ નગરમા ગણેશ વિસર્જન ને લઇ ને પોલીસ તંત્રએ દરેક મંડળો પર જઇ આયોજકો સાથે બેઠકો યોજી - At This Time

નેત્રંગ નગરમા ગણેશ વિસર્જન ને લઇ ને પોલીસ તંત્રએ દરેક મંડળો પર જઇ આયોજકો સાથે બેઠકો યોજી


.

નેત્રંગ નગર સહિત પંથક ભરમા વિધ્ન હર્તા ગજાનંદ ની ઠેરઠેર સ્થાપના કરવામા આવી છે અને ભકિતમય માહોલમા પુજા અચઁના થઇ રહી છે. ભાવિકભકતજનોમા અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે રોજેરોજ દરેક મંડળો ઉપર ભજનની રમઝટ ચાલી રહી છે. નેત્રંગ નગર માંથી દસ દિવસનુ આત્થીય માણી વિધ્ન હર્તા તા.૧૭મીને મંગળવાર ના રોજ વિદાય લેશે ત્યારે શાંતિ પુણઁ માહોલ મા ગણેશજી ની વિસર્જન ની ભવ્ય શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારો માંથી ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નિકળશે તેવા સમયે યાત્રામા કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને શાંતિના ડોળાય તેને અનુલક્ષીને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર સી વસાવા તેમજ સ્ટાફ થકી કવાયત હાથ ધરી છે.જેને લઈ ને છેલ્લા બે દિવસ થી પીઆઇ આર સી વસાવાએ નગરમા જે જે વિસતારોમા ગણેશજીની સ્થાપ્ના કરતા મંડળોના આયોજકો સાથે મંડળોના સ્થળેજ રૂબરૂ મુલાકાત કરી બેઠકોનો ડોર શરૂ કયો છે. જેના અનુસંધાને તા.૧૪મીના રોજ ગાંધીબજાર ખાતે શ્રી માંઈ મંડળના આયોજકો સાથે રાત્રિના બેઠક યોજી હતી, શાંતિ પુણઁ માહોલમા વિસર્જન યાત્રા સંપન્ન થાય તે માટે અપીલ કરી હતી, અને પોલીસ તંત્ર ને લોકો સાથ સહકાર આપે તે માટે પણ અપીલ કરી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.