ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ભ્રષ્ટાચાર અને ખોટી પોલિસીને કારણે બિહારમાં એક પછી એક પુલ તૂટી રહ્યા છે - At This Time

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ભ્રષ્ટાચાર અને ખોટી પોલિસીને કારણે બિહારમાં એક પછી એક પુલ તૂટી રહ્યા છે


તારીખ યાદ રાખો ! 18 જૂન 2024.અરરિયા જિલ્લાથી પુલો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થયા બાદ હવે મોતિહારી, મધુબનીથી લઇને સારણ-સિવાન જિલ્લા સુધી પહોંચી ગયો છે. જાણે કે રેતીની દીવાલથી બનેલા હોય તે રીતે પુલ તૂટી રહ્યા છે. જેનું મોટું કારણ ભ્રષ્ટાચાર અને બેદરકારી છે. કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાની નિયત અને ગુણવત્તાને બદલે ખર્ચને આધારિત પુલના નિર્માણની નીતિથી એક પછી એક પુલ ધરાશાયી થઇ રહ્યાં છે. સારણ-સિવાનની નહેરો પર બનેલા 20-30 વર્ષ જૂના પુલ તો લાપરવાહીને કારણે જ તૂટ્યા છે. પુલના નિર્માણ સાથે જોડાયેલા નિષ્ણાતોનો પણ આ જ મત છે. પરંતુ ગ્રામીણ બાબતોના વિભાગના અરરિયા, મધુબની અને મોતિહારીના 3 નિર્માણાધીન પુલ સુપરવિઝનનો અભાવ, ખરાબ ગુણવત્તા અને ખર્ચ આધારિત નિર્માણની ખોટી નીતિને કારણે ધરાશાયી થયા છે. વરસાદમાં નદી-નહેરો પર 15 જૂન બાદથી પુલના નિર્માણ પર રોક હોવા છતાં કામ જારી રહ્યું હતું. આ એન્જિનિયરો-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનું સાબિત થયેલું દ્રષ્ટાંત છે. ભ્રષ્ટાચારનો પણ ઇનકાર કરી શકાય નહીં. ભ્રષ્ટાચાર... 40 મીટર પાયલિંગને બદલે 20 મીટરનું જ કર્યું
દિલ્હી અને હૈદરાબાદની ઇન્ડિયન રિસર્ચ કંટ્રોલ ટીમના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો કે પુલના પિલરનું પાયલિંગ 40 મીટર નહીં, 20 મીટર જ હતું. બકરા નદીનું વહેણ ત્રીજી વાર બદલાયું ત્યારે પુલની લંબાઇ પણ વધી. ત્રીજા પુલના પાયાનું પાયલિંગ 20 મીટર જ કરાયું હતું. જેનો હિસ્સો જ ધરાશાયી થયો. મિલીભગત... 15 જૂન બાદ કામ પર રોક છતાં કરાયું કર્યું
પૂર્વી ચંપારણના ઘોડાસહન બલાન ચોકથી કુંડવા ચેનપુર મુખ્ય પથ પર અમવા ગામની પાસે સરેહી નાલા પર કલ્વર્ટના બે સ્પેનનું કાસ્ટિંગ 22 જૂનના કરાયું હતું. જ્યારે 15 જૂન બાદ પુલ નિર્માણ રોકવાનો સ્પષ્ટ નિર્દેશ છે. અધિકારી-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠને કારણે કામ રોકાયું ન હતું. મધુબની જિલ્લાના ભેજામાં ભૂતહી બલાનના નિર્માણાધીન પુલનું ગાર્ડર નિર્માણના ત્રીજા જ દિવસે પડી ગયું હતું. તે અધિકારી-કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનું પ્રમાણ છે. 15 જૂન બાદ કામ પર રોક છતાં કામ ચાલુ રહ્યું હતું. નદીમાં પાણી વધતા જ સેન્ટરિંગ તણાઈ ગયું હતું. ગાર્ડર પણ પડી ગયું હતું. નિષ્ણાતના મતે પુલ ધરાશાયી થવાનાં 8 મોટાં કારણ-આનંદ કિશોર, નિવૃત્ત ચીફ એન્જિનિયર, ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન બોર્ડ, NHAI અને ઇન્ડિયન કાઉન્સિલ આર્બિટેશનના ચેરમેન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.