રાણપુરમાં ગાયત્રી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ 7 માં દિવસે વિસર્જન કરવામાં આવ્યું - At This Time

રાણપુરમાં ગાયત્રી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ 7 માં દિવસે વિસર્જન કરવામાં આવ્યું


(ચિંતન વાગડીયા દ્વારા)
સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવની ધામધૂપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગાયત્રી સોસાયટી વિસ્તારમાં ગણપતિ ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગણપતિદાદાની 7 દિવસ પૂજા-અર્ચના-આરતી કરવામાં આવી હતી અને આજરોજ સાતમા દિવસે ગણપતિ ઉત્સવનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણપતિદાદા ને પાણીમાં પધરાવવામાં આવ્યા હતા ભક્તિભાવ સાથે આનંદ-ઉમંગ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.