નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


દાહોદ : દાહોદમા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલજ, દાહોદના એન. એસ.એસ. એકમ દ્વારા ૨૪ સપ્ટેમ્બર એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ અભિયાન અંતર્ગત 'સ્વભાવ સ્વછતા - સંસ્કાર સ્વછતા' હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા હું પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ અને પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦કલાક એટલે કે, દર અઠવાડિયે ૨ કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા કરીશના સંકલ્પ લેવામા આવ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.