દિલ્હીના અલીપુરમાં એક મોટી દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતા 5 મજૂરોના મોત - At This Time

દિલ્હીના અલીપુરમાં એક મોટી દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતા 5 મજૂરોના મોત


નવી દિલ્હી, તા. 15 જુલાઇ 2022,શુક્રવારદિલ્હીના અલીપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે 5 મજૂરોના મોત થયા છે. અન્ય 9 લોકો ઘાયલ થયા છે, તેમજ આ કાટમાળની નીચે ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મજૂરોના મોત થયા છે. જો કે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. 25 ફુટની ઊંચી દિવાલમળતી જાણકારી પ્રમાણે, આ દિવાલ 25 ફુટથી પણ ઊચી હતી. આ ઘટના બાદ 15 લોકોને મલબા નીચેથી નીકાળવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. NDRFની ટીમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ ઘટના બાદ ગોડાઉનનો માલિક ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ જ છેCM એ દુખ વ્યક્ત કર્યુંદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના બાદ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, આ ઘટના દુખદ છે, જીલ્લા પ્રશાસન રાહત બચાવ કાર્યમાં લાગેલ છે. મારુ ધ્યાન પણ રાહત કાર્યના કામ પર છે, આ સાથે જ તેમણે લખ્યુ દિવગંત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરુ છુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.