ભાસ્કર એક્સક્લુઝિવ:નિવૃત્ત થનાર અગ્નિવીરોમાંથી 42 ટકાને સરકારી નોકરી આપવાની કેન્દ્રની તૈયારી - At This Time

ભાસ્કર એક્સક્લુઝિવ:નિવૃત્ત થનાર અગ્નિવીરોમાંથી 42 ટકાને સરકારી નોકરી આપવાની કેન્દ્રની તૈયારી


અગ્નિવીરોના પહેલા લૉટમાંથી 2026-27માં રિટાયર થનારા જવાનોમાંથી 42% ને સરકારી નોકરીઓમાં સમાવી લેવાશે. આ સંખ્યા 25% અગ્નિવીરોથી અલગ છે, જેને સેેનામાં સમાવેશ કરાશે. એટલે કે સેનામાં સમાવેશ થયા પછી વધેલા 75% જવાન કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સમાવેશ કરાશે. શુક્રવારે એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે 25%થી વધારે અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં ભરતી કરવાની ઇચ્છા જણાવી હતી. અગ્નિવીરોના પ્રથમ લૉટનો કાર્યકાળ 2026-27માં પૂરો થશે. આ સંખ્યા આશરે 1 લાખ જેટલી છે. જેમાં 25 હજાર સેનામાં નિયુક્ત કરાશે. બાકીના 75 હજાર અગ્નિવીરોમાંથી 42% (31500) વિવિધ વિભાગોની નિયમિત સેવાઓમાં સમાવેશ કરાશે. આમાં અર્ધસૈનિક દળો સિવાય અન્ય સરકારી વિભાગોમાં સમાવેશ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે રિટારમેન્ટ (4 વર્ષ) પછી 100% સુધી અગ્નિવીરોનો ભરતી કરવાનું લક્ષ્ય છે અને તેની શરૂઆત 42%થી થશે. ડેડિકેટેડ યુનિટ નક્કી કરશે કોને ક્યાં નિયુક્ત કરવા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક મંત્રાલયમાં એક ડેડિકેટેડ યુનિટ ( 3 તથા વધુ) બનાવવાનો પ્રસ્તાવ છે, જે એ જોશે કે રિટાયર થયેલા અગ્નિવીરોમાં કોને, કયા વિભાગ અને યુનિટમાં સમાવેશ કરી શકાય છે. તેની માટે સેવા નિવૃત્ત અગ્નિવીરોની શૈક્ષણિક અને અન્ય યોગ્યતાને ધ્યાન લેવામાં આવશે. નિયમિત નોકરીમાં જે ઉંમર મર્યાદા છૂટ છે તેેનું પાલન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.