શિવાજી બાગનું સમારકામ ક્યારે? - At This Time

શિવાજી બાગનું સમારકામ ક્યારે?


પોરબંદરની ચોપાટી પર નગરપાલિકાના તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે શિવાજી બાગ બનાવ્યો હતો અને તેમાં બાળમનોરંજનના સાધનો ફીટ કરાવ્યા હતા. તથા મોંઘી લોન પણ વાવી હતી પરંતુ તંત્ર દ્વારા જાળવણી નહી કરવામાં આવતા અને સિકયુરીટી ગાર્ડના અભાવે બાળમનોરંજનના સાધનો ભાંગી તૂટી ગયા છે તથા લોન પણ સુકાઈ ગઈ છે. મુખ્ય દરવાજો પણ નીચે પડી ગયેલો નજરે ચડે છે તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ શિવાજી બાગનું સમારકામ કરાવવું જરૂરી બની ગયું છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.