વડાલી તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર ખાતે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ તેમજ દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો - At This Time

વડાલી તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર ખાતે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ તેમજ દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો


સંત દોલતરામજી મહારાજ આશ્રમ અન્નક્ષેત્ર પરિસરમાં વડીલોનું વૃંદાવન, ધામડી મુકામે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો

વડાલી તાલુકાના ધામડી મુકામે સંતો મહંતો અને સૌ હરિભક્તોના સાનિધ્યમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી મણીરામ મહારાજ, સંતશ્રી ધુળારામ મહારાજ, સંતશ્રી દશરથસિંહજી બાપુ, ભાગવત કથાકાર ભગવાનદાસ સાહેબ, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ સાહેબ, કિસાન સંઘ પ્રમુખશ્રી શામળભાઈ પટેલ, શ્રી એમ. કે. રહેવર સાહેબ, નાના મણીરામ મહારાજ, માથાસૂરથી રઘજીભાઈ સાહેબ, માલપુરથી શ્રી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી
વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વ. જયંતિભાઈ પાટીદાર સાહેબની સેવાઓને યાદ કરવામાં આવી
વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના 600 જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ સંતોનું સ્વાગત અભિવાદન માણકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું

65 વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંતશ્રી મણીરામ મહારાજ, સંતશ્રી દશરથસિંહજી બાપુ, સંતશ્રી ધુળારામ મહારાજે સમજાવ્યું હતું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ સાહેબે બધા દાનો માં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન દાનનો મહિમા શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી પહેલું સુખ તે જાતે નર્યા જે સંદર્ભે ભગવાનદાસ સાહેબ અને ગોરલ થી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા આ પ્રસંગે સુરેશભાઈ સાહેબ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું
આજના ભોજન દાતા ખેડબ્રહ્મા તાલુકાના રોધરા નિવાસી શ્રી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તાભાઈ મોતીભાઈ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રોજંટા રામનગર નિવાસી શ્રી રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ભોજન ધામડીના યુવા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ. ભોજન દાતા પરિવારે આરતી કરી લીધા બાદ સૌ હરી ભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
આભાર દર્શન સ્વ. જયંતીભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ કરવામાં આવ્યું

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠાપત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.