ઈન્ડિગોની ચેન્નઈ-મુંબઈ ફ્લાઇટમાં બોમ્બની ધમકી:ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું, તમામ મુસાફરો સુરક્ષિત; એક સપ્તાહની અંદર એરલાઇન્સમાં બોમ્બની ધમકીનો આ બીજો મામલો - At This Time

ઈન્ડિગોની ચેન્નઈ-મુંબઈ ફ્લાઇટમાં બોમ્બની ધમકી:ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું, તમામ મુસાફરો સુરક્ષિત; એક સપ્તાહની અંદર એરલાઇન્સમાં બોમ્બની ધમકીનો આ બીજો મામલો


​​​​​​શનિવાર, 1 જૂનના રોજ ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-5314માં બોમ્બની ધમકી મળી હતી. આ પછી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમાં 172 મુસાફરો હતા. હાલ ફ્લાઈટમાં તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટ આજે સવારે લગભગ 6.50 વાગ્યે ચેન્નાઈથી રવાના થઈ હતી. મુંબઈ જતી વખતે તેમાંથી એક બીનવારસી રિમોટ મળી આવ્યું હતું. આ પછી પાઇલટોએ મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને ઈમર્જન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. ફ્લાઇટ સવારે 8.45 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી એરપોર્ટ પર ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનાં વાહનો અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. બોમ્બની આશંકા વચ્ચે, ફ્લાઇટને એક આઈસોલેશન-વેમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઊતરી ગયા છે. હજુ તપાસ ચાલુ છે. સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી, ફ્લાઈટને ટર્મિનલ વિસ્તારમાં પરત લઈ જવામાં આવશે. એક સપ્તાહમાં ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો બીજો કિસ્સો એક સપ્તાહમાં ઈન્ડિગો એરલાઈન્સમાં બોમ્બની આ બીજી ધમકી મળી છે. 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-2211માં પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં બે બાળકો સહિત 176 લોકો સવાર હતા. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઈમર્જન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મુસાફરો અને ફ્લાઈટ ક્રૂ તેમના સામાન સાથે સ્લાઈડમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ઈન્ડિગોએ SOPનું પાલન ન કરવા બદલ બે પાઈલટ અને કેબિન ક્રૂ મેમ્બરને હટાવી દીધા હતા. નિયમો અનુસાર, ઈમર્જન્સી દરમિયાન લોકોને 90 સેકન્ડની અંદર ફ્લાઈટમાંથી બહાર કાઢવા જોઈએ. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફ્લાઇટમાં તમામ સામાન છોડી દેવાનો નિયમ છે. મુસાફરો પણ સામાન લઈ જઈ શકતા નથી. ફ્લાઈટમાં બોમ્બની ધમકીના અન્ય સમાચાર પણ વાંચો...
વિસ્તારાની દિલ્હી-પુણે ફ્લાઈટમાં બોમ્બની અફવા:તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા; વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. આ પછી વિમાનને એરપોર્ટ પર આઈસોલેશન-વેમાં આઈસોલેટ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી
એરપોર્ટ પર આઈસોલેશન બેમાં વિમાનની તપાસ કરવામાં આવી છે. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બનો કોલ આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં કંઈ મળ્યું નથી. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ફ્લાઇટની અંદર અને બહાર સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.