દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત પડી, 1નું મોત:5 ઘાયલ, અનેક વાહનો દબાયાં; આગામી આદેશ સુધી ફ્લાઇટ્સ ઓપરેશન સસ્પેન્ડ - At This Time

દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત પડી, 1નું મોત:5 ઘાયલ, અનેક વાહનો દબાયાં; આગામી આદેશ સુધી ફ્લાઇટ્સ ઓપરેશન સસ્પેન્ડ


દિલ્હી-NCRમાં વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-1 પર શુક્રવારે સવારે 5 વાગ્યે પાર્કિંગની છત તૂટી પડી હતી. દુર્ઘટનામાં કારમાં બેઠેલા કેબ ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે 5 ઘાયલ થયા છે. ઘાયલોને મેદાંતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ, સીઆઈએસએફ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું કે, સવારે ટર્મિનલ-1 પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની લાંબી લાઈનો હતી. આ દરમિયાન પાર્કિંગની છત તૂટી પડી હતી. છતનો ભારે ભાગ અને ત્રણ લોખંડના આધાર બીમ વાહનો પર પડ્યા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કાર નીચે દબાઈ ગઈ હતી. IGI એરપોર્ટના ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે ડિપાર્ચર ગેટ નંબર 1થી ગેટ નંબર 2 સુધી ફેલાયેલા ટર્મિનલ 1ની બહારનો શેડ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ 4 વાહનો દબાઈ ગયા હતા. ડીએફએસના આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર રવિન્દર સિંહે જણાવ્યું કે કાટમાળમાંથી આઠ લોકોને બચાવી લેવાયા છે. બહાર કાઢવામાં આવેલ એક વ્યક્તિનું પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પર લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. જુઓ દુર્ઘટનાની તસવીરો... દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે પહેલો પ્રી-મોન્સૂન વરસાદ પડ્યો હતો. ગઈકાલથી સતત વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારો રાતોરાત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ 3થી 4 ફૂટ પાણીની સપાટી છે. દિલ્હી-NCRમાં ભારે વરસાદ પછીની તસવીરો... ચોમાસું 3 જુલાઈ સુધી દિલ્હીને આવરી લેશે
ગુરુવારે (27 જૂન) ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોમાસું પ્રવેશ્યું. ચોમાસાએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પંજાબના ભાગોને આવરી લીધા હતા. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં 11 જૂનથી અટકી ગયું હતું. ચોમાસું 27થી 30 જૂન સુધી દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં પ્રવેશી શકે છે. ચોમાસું 3 જુલાઈ સુધીમાં દિલ્હીને સંપૂર્ણ રીતે આવરી લેશે. 5થી 8 જુલાઈ સુધી હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાનને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવશે. હવામાન વિભાગનો અંદાજ છે કે જૂનમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું એટલે કે લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતાં 92% ઓછું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.