**ઝાલોદ તાલુકાના મઘાનિસર તેમજ ઘેસાવા ખાતે પ્રાંન્ત તેમજ મામલતદારની અધ્યક્ષતામા રાત્રિ સભા યોજાઈ** - At This Time

**ઝાલોદ તાલુકાના મઘાનિસર તેમજ ઘેસાવા ખાતે પ્રાંન્ત તેમજ મામલતદારની અધ્યક્ષતામા રાત્રિ સભા યોજાઈ**


**ઝાલોદ તાલુકાના મઘાનિસર તેમજ ઘેસાવા ખાતે પ્રાંન્ત તેમજ મામલતદારની અધ્યક્ષતામા રાત્રિ સભા યોજાઈ**

*તા.૧૨/૦૯/૨૦૨૪ને ગુરુવારના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત – ઘેસાવા, મઘાનિસર ખાતે તાલુકા વહીવટી તંત્રની રાત્રીસભા યોજાઈ હતી,જેમાં પ્રાંત અધિકારીશ્રી ભાટિયા સાહેબ,મામલતદારશ્રી પરમાર સાહેબ, નાયબ ટીડીઓશ્રી, આર & બી. અધિકારીશ્રી મુનિયા સાહેબ, જિલ્લા સભ્યશ્રી, પોલીસ અધિકારીશ્રી, મેડિકલ ઓફિસરશ્રીઓ, સરપંચશ્રી, ડે.સરપંચશ્રી તેમજ તલાટીશ્રી દ્વારા ગ્રામજનોની રજુઆતોને ધ્યાને લઇ સબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી, રાત્રીસભામાં ગ્રામજનોના સસ્તા અનાજની દુકાન,પાણી, બસ-સુવિધા, આંગણવાડી, એમજીવીસીએલ,સહીતના વિવિધ મુખ્ય પ્રશ્નોની રજુઆત પ્રજાએ કરેલ હતા, સાથે પૂર્વ પાર્ટી પ્રમુખ અને ગામના આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આભાર વિધિ કરાઇ, ત્યાર બાદ સભાની પુર્ણાહુતી કરવામાં આવી હતી ત્યારે આ રાત્રિ સભામા ગ્રામજનોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વિવિધ રજુઆતો રજુ કરી હતી.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.