'નો એન્ટ્રી 2'માંથી બહાર થવા અંગે બોલ્યા અનિલ કપૂર:કહ્યું, 'ઘરની વાત ઘરમાં જ રહેવા દો, મોટાભાઈ ક્યારેય પણ ખોટા ન હોઈ શકે' - At This Time

‘નો એન્ટ્રી 2’માંથી બહાર થવા અંગે બોલ્યા અનિલ કપૂર:કહ્યું, ‘ઘરની વાત ઘરમાં જ રહેવા દો, મોટાભાઈ ક્યારેય પણ ખોટા ન હોઈ શકે’


હાલમાં જ માહિતી મળી રહી છે કે, એક્ટર અનિલ કપૂર 'નો એન્ટ્રી'ની સિક્વલમાં જોવા નહીં મળે. 'નો એન્ટ્રી' વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનિલ કપૂરે 'નો એન્ટ્રી'ની સિક્વલમાં રિપ્લેસ થવા અંગે રિએક્શન આપ્યું છે. જ્યારે તેમને અંગે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું- આ પારિવારિક મામલો છે, ઘરની વાત છે, આ અંગે શું વાત કરવી?' હકીકતમાં અગાઉ બોનીએ કહ્યું હતું કે, અનિલ એ વાતથી ખુશ નથી કે તેમને સિક્વલમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે. બોની કપૂર દ્વારા કરવામાં આવેલા દાવા પર રિએક્શન આપતા અનિલે કહ્યું, 'જુઓ ઘરની બાબતો વિશે ચર્ચા કેમ કરવી જોઈએ. અને તેઓ (બોની) ક્યારેય ખોટા નથી હોતા.' નોંધનીય છે કે, બોની કપૂર 'નો એન્ટ્રી 2' ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે, અનિલ કપૂર તેમના નાના ભાઈ છે. આ કારણો સર અનિલે કહ્યું કે, પારિવારિક મુદ્દાઓ પર વાત કરવાનો કોઈ અર્થ નથી. બોનીએ કહ્યું હતું કે, 'અનિલ ખુશ નથી'
માર્ચ મહિનામાં જ બોનીએ મીડિયાને કહ્યું હતું કે અનિલ તેમની સાથે યોગ્ય રીતે વાત કરી રહ્યો નથી કારણ કે તે સિક્વલમાં તેમને રિપ્લેસ કરવાથી ખુશ નથી. હવે આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂર એક્ટિંગ કરશે, જ્યારે અનીસ બઝ્મી દિગ્દર્શન કરશે. 'નો એન્ટ્રી 2' નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. અનિલ છેલ્લે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળ્યો હતો. અનિલ કપૂર 'બિગ બોસ ઓટીટી સિઝન 3' હોસ્ટ કરતો જોવા મળશે. આ સિઝન આજથી શરૂ થશે. મેકર્સનો દાવો છે કે લોકોને શોમાં ઘણી વસ્તુઓમાં બદલાવ જોવા મળશે. આ સિવાય અનિલ ફિલ્મ 'સૂબેદાર'માં પણ જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.