દીકરાનાં લગ્ન પહેલાં સમૂહ લગ્ન કરાવશે અંબાણી પરિવાર:અનંત-રાધિકાની સંગીત સેરેમનીની તૈયારીઓ શરૂ, ફંક્શનમાં જોવા મળશે કપલની લવસ્ટોરીની ઝલક - At This Time

દીકરાનાં લગ્ન પહેલાં સમૂહ લગ્ન કરાવશે અંબાણી પરિવાર:અનંત-રાધિકાની સંગીત સેરેમનીની તૈયારીઓ શરૂ, ફંક્શનમાં જોવા મળશે કપલની લવસ્ટોરીની ઝલક


અંબાણી પરિવારમાં ફરી એકવાર ઉજવણી શરૂ થવા જઈ રહી છે. નીતા અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાનાં લગ્ન 12 થી 14 જુલાઈ દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ઊજવવામાં આવશે.12મી જુલાઈએ શુભ લગ્ન સમારોહ, 13મી જુલાઈએ શુભ આશીર્વાદ કાર્યક્રમ અને 14મી જુલાઈએ સ્વાગત સમારોહ યોજાશે. અનંત અને રાધિકાનાં લગ્નના પૂર્વ સમારંભના ભાગરૂપે 2 જુલાઈએ અંબાણી પરિવાર વંચિત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યો છે. સંગીત સેરેમનીમાં બે બેચ પર્ફોર્મ કરશે
રિપોર્ટ્સનું માનીએ તો પરિવારે આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિવારના સભ્યોએ સંગીત માટે રિહર્સલ શરૂ કરી દીધું છે. અનંત-રાધિકાના મ્યુઝિકલ પર્ફોર્મન્સ માટે બે અલગ-અલગ બેચ તૈયાર કરવામાં આવી છે. આ ડાન્સ પર્ફોર્મન્સમાં એક બેચ અનંતના મિત્રોની હશે, જ્યારે બીજી બેચ રાધિકાના મિત્રોની હશે. રિહાન્ના અને કેટી પેરીનાં ગીતો વગાડવામાં આવશે
આ સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવસ્ટોરી રજૂ કરવામાં આવશે. પર્ફોર્મન્સમાં કપલની લવસ્ટોરીની ઝલક પણ જોવા મળશે. બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા તે જણાવવામાં આવશે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ આ સમારોહમાં બોલિવૂડ ગીતોથી લઈને રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્નાનાં ગીતો વગાડવામાં આવશે. આ મ્યુઝિકલ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સ પણ પર્ફોર્મ કરી શકે છે. અંબાણી પરિવાર 2જી જુલાઈએ સમૂહલગ્નનું આયોજન કરશે
અનંત-રાધિકાનાં લગ્ન પહેલાં, 2 જુલાઈએ, અંબાણી પરિવાર વંચિત લોકો માટે સમૂહલગ્નનું આયોજન કરી રહ્યો છે. આ કાર્યક્રમ પાલઘરના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં સાંજે 4:30 વાગ્યાથી આયોજિત કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો:-
અનંત અંબાણીનું વેડિંગ કાર્ડ વાઇરલ:કંકોતરીની સાથે ચાર દેવતાઓનું ચાંદીનું મંદિર અને મૂર્તિઓ, મહારાષ્ટ્રના CM, અજય-સલમાનને ઇન્વાઇટ પહોંચી ગયું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.