સેંગોલ પર ફરી વિવાદ:અખિલેશે PM પર કટાક્ષ કર્યો, કહ્યું- સેંગોલને પ્રણામ કરવાનું ભૂલ્યા, અનુપ્રિયા પટેલનો જવાબ- જ્યારે સંસદમાં સ્થાપિત કરાયું ત્યારે ક્યાં હતા - At This Time

સેંગોલ પર ફરી વિવાદ:અખિલેશે PM પર કટાક્ષ કર્યો, કહ્યું- સેંગોલને પ્રણામ કરવાનું ભૂલ્યા, અનુપ્રિયા પટેલનો જવાબ- જ્યારે સંસદમાં સ્થાપિત કરાયું ત્યારે ક્યાં હતા


​​​​​​સંસદમાં ફરી એકવાર સેંગોલ પર વિવાદ શરૂ થયો છે. ગુરુવારે સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા સપા સુપ્રીમો અખિલેશ યાદવે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું- મને લાગે છે કે જ્યારે સેંગોલ પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવ્યું હતું, ત્યારે વડાપ્રધાને તેને પ્રણામ કર્યા હતા. પરંતુ આ વખતે, તેઓ શપથ દરમિયાન પ્રણામ કરવાનું ભૂલી ગયા, તેમને યાદ અપાવવા માટે, અમારા સાંસદે આ નિવેદન આપ્યું. અખિલેશના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જયંત ચૌધરીનો જવાબ આવ્યો છે. અનુપ્રિયાએ પૂછ્યું- જ્યારે સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે સપાના સાંસદો ક્યાં હતા? બુધવારે મોહનલાલગંજના સપા સાંસદ આરકે ચૌધરીએ સેંગોલને સંસદમાંથી હટાવવાની માંગ કરી હતી. તેમણે સ્પીકરને પત્ર લખીને કહ્યું હતું કે સેંગોલ રાજદંડ રાજાશાહીનું પ્રતીક છે. સંસદ લોકશાહીનું મંદિર છે. કોઈ રાજવી પરિવારનો મહેલ નથી. તેથી, સેંગોલને સંસદમાંથી હટાવવું જોઈએ અને બંધારણની વિશાળ નકલ સ્થાપિત કરવી જોઈએ. સપા સાંસદના પત્રને કારણે સેંગોલ પર ફરી વિવાદ આરકે ચૌધરીએ કહ્યું- સંસદ લોકશાહીનું મંદિર છે, રાજા- રજવાડાનો મહેલ નથી લખનૌમાં મોહનલાલગંજના સપા સાંસદ આરકે ચૌધરીએ સેંગોલને સંસદમાંથી હટાવવાની માંગ કરી હતી. તેમણે સેંગોલને મહારાજાનું પ્રતીક ગણાવ્યું. ચૌધરીએ કહ્યું કે સેંગોલની જગ્યાએ બંધારણની નકલ લગાવવી જોઈએ. આરકે ચૌધરીએ કહ્યું કે, જ્યારે હું શપથ લેવા માટે ગૃહના ફ્લોર પર પહોંચ્યો ત્યારે મેં જોયું કે સેંગોલ મારી જમણી બાજુએ મૂકવામાં આવ્યું હતું. બંધારણ એ લોકશાહીનો પવિત્ર ગ્રંથ છે, જ્યારે સેંગોલ એટલે કે રાજદંડ રાજાશાહીનું પ્રતીક છે. સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા- રજવાડાનો મહેલ નથી. આરકે ચૌધરીએ સ્પીકર અને પ્રોટેમ સ્પીકર પાસે માંગ કરી હતી કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવીને તેની જગ્યાએ કોઈ ભારતીય બંધારણની વિશાળ નકલ સ્થાપિત કરવી જોઈએ. અખિલેશે કહ્યું- અમારા સાંસદે પીએમ મોદીને તેમની ભૂલ યાદ કરાવી
સપા પ્રમુખ અખિલેશ યાદવે પાર્ટી સાંસદ આરકે ચૌધરીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, મને લાગે છે કે જ્યારે સેંગોલને પહેલીવાર સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાને તેને પ્રણામ કર્યા હતા. પરંતુ આ વખતે તેઓ શપથ દરમિયાન પ્રણામ કરવાનું ભૂલી ગયા, તેમને યાદ કરાવવા માટે અમારા સાંસદે આ નિવેદન આપ્યું હતું. ​​​​​​​અખિલેશે કહ્યું- જો આપણે 5મી અર્થવ્યવસ્થા છીએ તો ખેડૂતો અને ગરીબો દુખી કેમ છે?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર અખિલેશે કહ્યું, આ સરકારનું ભાષણ હતું. સરકાર દાવો કરે છે કે આપણે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા છીએ. ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે, તો ખેડૂત શા માટે દુખી છે? ખેડૂતો કેમ મુશ્કેલીમાં છે? જે રીતે વિશ્વની 5મા નંબરની અર્થવ્યવસ્થા બનવાની કહાની કહેવામાં આવી રહી છે, શું આપણા ખેડૂતો પણ તે મુજબ ખુશ થયા છે? જો આપણે 5મા નંબર પર છીએ તો આપણા યુવાનો કેમ બેરોજગાર છે? આટલી મોંઘવારી કેમ છે? કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે અખિલેશને સવાલ પૂછ્યો - ત્યારે તમારા સાંસદો ક્યાં હતા? જયંત ચૌધરીએ કહ્યું- લાઈમલાઈટમાં આવવા માટે કહી હતી સનસનાટીભરી વાતો, તેનો કોઈ અર્થ નથી
સેંગોલ પર સપા સાંસદ આરકે ચૌધરીના નિવેદન પર કેન્દ્રીય રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તેઓએ વિચારી રાખ્યું છે કે દરરોજ કંઈક એવું સનસનાટીભર્યું બોલવું છે કે જેથી અમે ચર્ચામાં આવીએ. આ વાતોનો કોઈ અર્થ નથી. પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરવામાં આવી હતી
PM મોદીએ 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરી. તમિલનાડુના પ્રાચીન મઠના અધિનમ મહંતોની હાજરીમાં નવા સંસદ ભવનની લોકસભામાં 'સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે - 'સેંગોલ' રાજદંડ માત્ર શક્તિનું પ્રતીક નથી, પરંતુ તે હંમેશા રાજાની સામે હંમેશા ન્યાયશીલ બની રહેવાનું અને લોકો માટે સમર્પિત રહેવાનું પ્રતીક પણ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.