એરફોર્સના 92માં સ્થાપના દિવસે ચેન્નાઈમાં એર શો:રાફેલ-સૂર્ય કિરણ, સારંગ સહિત 72 એરક્રાફ્ટ સામેલ; લિમ્કા બુકમાં નામ નોંધાવવાની તૈયારી - At This Time

એરફોર્સના 92માં સ્થાપના દિવસે ચેન્નાઈમાં એર શો:રાફેલ-સૂર્ય કિરણ, સારંગ સહિત 72 એરક્રાફ્ટ સામેલ; લિમ્કા બુકમાં નામ નોંધાવવાની તૈયારી


ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરે તેનો 92મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. આ પહેલા 6 ઓક્ટોબરે ચેન્નાઈના મરિના બીચ પર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોમાં રાફેલ, સૂર્યકિરણ અને સારંગ સહિત 72 એરક્રાફ્ટ કરતબ બતાવશે. એર શોનું ફુલ ડ્રેસ રિહર્સલ પણ 4 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. એર વાઇસ માર્શલ કે પ્રેમકુમારના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની તૈયારી કરી રહી છે. તેથી આ કાર્યક્રમ મોટા મરિના બીચ પર રાખવામાં આવ્યો છે. આ શોને જોવા માટે 15 લાખ લોકોની પહોંચવાની આશા છે. આ શોમાં અદ્યતન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ અને ડકોટા અને હાર્વર્ડ જેવા હેરિટેજ એરક્રાફ્ટ પણ સામેલ થશે. રિહર્સલના તસવીરો... 21 વર્ષ બાદ ચેન્નાઈમાં એર શો યોજાઈ રહ્યો છે
21 વર્ષ બાદ ચેન્નાઈમાં ફ્લાયપાસ્ટ અને એરિયલ ડિસ્પ્લે શો થઈ રહ્યો છે. ત્રીજી વખત ભારતીય વાયુસેના સ્થાપના દિવસ પર દિલ્હીની બહાર એર શોનું આયોજન કર્યુ છે. ગયા વર્ષે, આ શો 8 ઓક્ટોબર 2023 ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં થયો હતો. 2022માં ચંદીગઢમાં રાખવામાં આવ્યો હતો. વાયુસેના પ્રમુખે કહ્યું- 2047 સુધીમાં ભારતમાં તમામ હથિયાર બનાવવાનું લક્ષ્ય
એરફોર્સ ડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે, ભારતે લશ્કરી સાધનોના ઉત્પાદનમાં ટેક્નોલોજી અને ઝડપના મામલે ચીનથી આગળ પહોંચવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વાયુસેનાનું લક્ષ્ય સ્વદેશીકરણ કાર્યક્રમ હેઠળ 2047 સુધીમાં ભારતમાં તેના તમામ શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું છે. સપ્લાયમાં વિલંબની ભરપાઈ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે દર વર્ષે 24 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું પ્રોડક્શન કરવું જોઈએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.