ભાભર જલારામ મંદિર ખાતે સુંદરકાંડ નું આયોજન કરાયું. - At This Time

ભાભર જલારામ મંદિર ખાતે સુંદરકાંડ નું આયોજન કરાયું.


ભાભર જલારામ મંદિર ખાતે સુંદરકાંડ નું આયોજન કરાયું.

બનાસકાંઠાના ભાભર ખાતે શનિવાર રાત્રે જલારામ મંદિર માં થરા મંડળ વતી સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું.

થરા મંડળ રીંકુબેન અને સરોજબેન તેમજ તેમની ટીમ દ્વારા આ સંગીત મય સુંદરકાંડનું સરસ પાઠ ગાન કરવામાં આવ્યું

આ આયોજન ધીરુભાઈ રસિકભાઈ તન્ના પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું.
જેમાં બ્રહ્માકુમારી સ્નેહલબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગમાં ચા પાણી વ્યવસ્થા તેમજ આઈસ્ક્રીમ અને પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હતી
આ પ્રસંગમાં આશરે 400 ભક્તોએ આ સુંદરકાંડનું રસપાન કર્યું હતું.
આ પ્રસંગે ગામના વેપારીઓ ભક્તો અને મંડળના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સુંદરકાંડ નું રસપાન કર્યું હતું.

રિપોર્ટ સુનિલ ભાઈ ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.