અભિનેતા સંજય દત્તે બાગેશ્વર ધામના દર્શન કર્યા:કહ્યું,'અહીં ભક્તોની આસ્થા જોઈને હું ભાવવિભોર છું, હું વારંવાર બાગેશ્વર ધામમાં આવીશ ' - At This Time

અભિનેતા સંજય દત્તે બાગેશ્વર ધામના દર્શન કર્યા:કહ્યું,’અહીં ભક્તોની આસ્થા જોઈને હું ભાવવિભોર છું, હું વારંવાર બાગેશ્વર ધામમાં આવીશ ‘


બોલિવૂડ એક્ટર સંજય દત્ત શનિવારે સાંજે છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મહારાજની મુલાકાત લીધી હતી. અભિનેતા સંજય દત્ત શનિવારે સાંજે 4 વાગે પ્લેન દ્વારા મુંબઈથી રવાના થયા હતા. જે બાદ તેઓ સાંજે 6.30 વાગ્યે ખજુરાહો એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં ધામ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સંજય દત્ત ફોર વ્હીલરમાં ગામ ગડા બાગેશ્વર ધામ પહોંચ્યા. આ પછી અભિનેતા સંજય દત્તે સૌપ્રથમ ભગવાન બાલાજીના દર્શન કર્યા હતા અને પ્રદક્ષિણા કરી માથું નમાવ્યું હતું. આ પછી સંજય દત્ત ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન સંજય દત્તે કહ્યું કે 'આ દેશ અને દુનિયાના લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીંના ભક્તોની આસ્થા જોઈને હું અભિભૂત થઈ ગયો છું. મહારાજજીને મળીને લાગ્યું કે જાણે હું તેમની સાથે વિતાવેલો સમય મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો અને હું વારંવાર બાગેશ્વર ધામમાં આવીશ. આ એક અદ્ભુત જગ્યા છે. બાલાજી સરકારની અદભૂત કૃપા આ સ્થાન પર રહે છે.' મહત્ત્વનું છે કે, સંજય દત્ત ખૂબ ઓછું ટ્રાવેલિંગ કરે છે. મુંબઈમાં રહીને તે પોતાની ફિટનેસ અને ફિલ્મો પર ધ્યાન આપે છે. ભાગ્યે જ સંજય દત્ત પોતાના જિમ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતા હોય છે. આટલી ઉંમરે પણ એક્સર્સાઇઝ બાબતે તે ઘણા સતર્ક જોવા મળે છે. ફેન્સ પણ તેમને પોતાના પ્રેરણાસ્રોત માને છે સાથે સાથે તેમની પ્રશંસા કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.