આયુષ ​​​​​​​શર્માએ જણાવી અર્પિતા ખાન સાથેના લગ્નની સ્ટોરી:કહ્યું,'માતા-પિતાએ કહ્યું હતું કે, તું કંઈ કમાતો નથી, આટલા મોટા પરિવારની છોકરીનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?' - At This Time

આયુષ ​​​​​​​શર્માએ જણાવી અર્પિતા ખાન સાથેના લગ્નની સ્ટોરી:કહ્યું,’માતા-પિતાએ કહ્યું હતું કે, તું કંઈ કમાતો નથી, આટલા મોટા પરિવારની છોકરીનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?’


બોલિવૂડ એક્ટર આયુષ શર્મા પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. આયુષે સલમાન ખાનની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યા છે. એક ઈન્ટરવ્યુમાં આયુષે કહ્યું છે કે જ્યારે તેણે તેના માતા-પિતાને અર્પિતા સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું તો તેઓ નારાજ થઈ ગયા. આયુષ તાજેતરમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટ પર દેખાયો જ્યાં તેણે અર્પિતા સાથેની તેની લવ સ્ટોરી વિશે વાત કરી. તેને તે સમય યાદ આવ્યો જ્યારે તે 24 વર્ષનો હતો અને તેણે તેના માતા-પિતાને અર્પિતા વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. આયુષે કહ્યું કે જ્યારે તેણે લગ્નની વાત કરી તો તેના પિતા ચિંતિત થઈ ગયા કારણ કે ત્યાં સુધી તેની પહેલી ફિલ્મ પણ રીલિઝ થઈ ન હતી અને તે કંઈ કમાણી કરી રહ્યો ન હતો. પિતાએ કહ્યું- તું અર્પિતાનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?
આયુષે કહ્યું, 'પપ્પા કહ્યું કે તું કામ નથી કરતો, તું કંઈ કમાતો પણ નથી. તેમ છતાં, તું એક છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, જે આટલા મોટા પરિવારની હોય. તું તેનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?' આયુષના કહેવા મુજબ તેણે તેના પિતા પાસે આર્થિક મદદ માંગી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી. આયુષે એ પણ ખુલાસો કર્યો કે તેના પિતાને સંબંધમાં કોઈ સમસ્યા નથી પરંતુ તેની માતાને ચિંતા હતી કે અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા પરિવારો કેવી રીતે એક સાથે રહી શકશે. બાદમાં જ્યારે તેના માતા-પિતા ખાન પરિવારને મળ્યા ત્યારે તેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ. આયુષ-અર્પિતાના લગ્ન 2014માં થયા હતા
​​​​​​​આયુષ અને અર્પિતાના લગ્ન 18 નવેમ્બર 2014ના રોજ હૈદરાબાદની હોટેલ ફલકનુમામાં થયા હતા. આ લગ્નની જવાબદારી ખુદ સલમાને લીધી હતી. લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આયુષ અને અર્પિતા બે બાળકોના માતા-પિતા બની ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.