ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી:લોકો ઇમર્જન્સી વિન્ડોમાંથી પ્લેનના પાંખિયા ઉપર ચાલીને બહાર આવ્યા, ટિશ્યૂ પેપરમાં લખ્યું હતું બોમ્બ; સર્ચિંગમાં કશું જ મળ્યું નહીં - At This Time

ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી:લોકો ઇમર્જન્સી વિન્ડોમાંથી પ્લેનના પાંખિયા ઉપર ચાલીને બહાર આવ્યા, ટિશ્યૂ પેપરમાં લખ્યું હતું બોમ્બ; સર્ચિંગમાં કશું જ મળ્યું નહીં


દિલ્હી એરપોર્ટ પર વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટ (6E2211)માં મંગળવારે સવારે ટેકઓફ પહેલાં બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું. તેને ધમકીની આશંકા માનવામાં આવી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોને ઈમર્જન્સી ગેટમાંથી બહાર કાઢ્યા હતા. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર QRT અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. વિમાનમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું અને સવારે 5.35 વાગ્યે તેની જાણ કરવામાં આવી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ મહિનો એટલે કે 1 મેથી અત્યાર સુધીમાં 28 દિવસમાં એરપોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત બોમ્બની ધમકીની આ આઠમી ઘટના છે. આ પહેલાં 23 મેના રોજ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તે પહેલાં ગૃહ મંત્રાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. તમામ બધી ધમકીઓ ખોટી નીકળી હતી. આ મહિનામાં નકલી બોમ્બની ધમકીની 7 ઘટનાઓ
1 મે: દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂ​​​​​લોમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી 1 મેના રોજ, એક ઈ-મેઇલ મોકલવામાં આવ્યો હતો કે દિલ્હી-NCRની 100થી વધુ સ્કૂ​​​​​લોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. બાદમાં પોલીસે આ માહિતીને ખોટી ગણાવી હતી. આ પહેલાં રવિવારે (12 મે) દિલ્હી એરપોર્ટ, 20 હોસ્પિટલો અને ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીની ઓફિસ પર બોમ્બની ધમકી મળી હતી. તેમજ, 30 એપ્રિલના રોજ, દિલ્હીની ચાચા નેહરુ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 6 મે: અમદાવાદની 23 સ્કૂ​​​​​લને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 6 મેના રોજ અમદાવાદની 23 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પછી સોમવારે સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઈ-મેઇલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને પોલીસ અધિકારીઓની ટીમોએ શાળાઓમાં તપાસ કરી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલ ઈ-મેઇલ તૌહીદ વોરિયરના નામે મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઇલમાં લખ્યું છે...ઈસ્તીશાદી (જેહાદીઓ) આખા શહેરમાં ફેલાઈ ગયા છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ અમારો વિરોધ કરનારા તમામને મારી નાખશે. અમારો હેતુ ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારી સામે સરેન્ડર કરી લો અથવા અમારા દ્વેષથી મરી જાઓ. અમે તમારા જીવનમાં લોહીની નદીઓ વહાવી દઈશું. 12 મે: 13 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
12 મેના રોજ દેશનાં ઘણાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી, જયપુર, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનૌ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ઈ-મેઇલમાં લખવામાં આવ્યું હતું - થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ ઈ-મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે સીઆઈએસએફના ઓફિશિયલ આઈડી પર ઈ-મેઇલ મળ્યા બાદ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા. એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 13 મે: લખનૌની 4 સ્કૂ​​​​​લને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોમવારે, 13 મેના રોજ સવારે લખનૌની 4 સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તેમાં વિબગ્યોર, સેન્ટ મેરી, ગોમતીનગરની પીજીઆઈ અને આલમબાગની એલપીએસ સ્કૂલનો સમાવેશ થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે તરત જ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી હતી. બાળકોને કેમ્પસની બહાર લઈ જવામાં આવ્યાં હતાં. બાળકોને તાત્કાલિક ઘરે લઈ જવા માટે વાલીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો. ડીસીપી પૂર્વે જણાવ્યું હતું કે તમામ સ્કૂલોની તપાસ કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. તમામ ધમકીઓ એક જ મેઈલ આઈડી પરથી મળી છે. સાયબર એક્સપર્ટ, એટીએસ અને પોલીસની ટીમ તપાસમાં લાગેલી છે. NIA પાસેથી પણ સહકાર માંગવામાં આવ્યો છે. 13 મે: જયપુરની 56 સ્કૂ​​​​​લને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોમવારે, 13 મેના રોજ જયપુરની 56 સ્કૂલને બોમ્બની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ વહેલી સવારે સ્કૂ​​​​​લ​​​​ના તમામ આચાર્યોને મેઈલ દ્વારા સ્કૂ​​​​​લ​​​​​ની ઈમારતમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. આ પછી સમગ્ર સ્કૂલો​​​​​​ને ખાલી કરાવવામાં આવી હતી. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે સવારે 4 વાગ્યે સ્કૂલના મેઈલ આઈડી પર મેઈલ આવ્યો હતો. મેઇલ લગભગ એક જ સમયે બધે ગયા. મેઈલ મોકલનાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સાયબર ટીમ આના પર કામ કરી રહી છે. જે સ્કૂલોમાં મેઈલ મળ્યા હતા તે શાળાઓની તપાસ કરવામાં આવી હતી, પરંતુ સ્કૂલો​​​​​​માંથી કોઈપણ વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. 15 મે: કાનપુરની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 15 મેના રોજ કાનપુરની 7 સ્કૂલને બોમ્બની ધમકી મળી હતી. બુધવારે સવારે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો તપાસ માટે સ્કૂલમાં પહોંચી હતી. પોલીસ સૌથી પહેલા ગુમતી વિસ્તારમાં આવેલી શ્રી સનાતન ધર્મ એજ્યુકેશન સ્કૂલ પહોંચી હતી. પોલીસને જોઈને ત્યાં હંગામો મચી ગયો હતો. બાળકો ગભરાઈ ગયાં. ક્લાસ રૂમમાંથી બહાર આવ્યાં. કેટલાંક બાળકો રડવા લાગ્યાં. મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને જાણ કરી હતી. સ્કૂલમાં રજા જાહેર કરી દીધી હતી. 22 મે: ગૃહ અને નાણા મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીમાં ગૃહ અને નાણા મંત્રાલયને બોમ્બની ધમકી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે નોર્થ બ્લોક સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ઉડાવી દેવાની ધમકી ધરાવતો મેઇલ મળ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસને 3 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે, તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 23 મેઃ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બ્લાસ્ટની ધમકી
દિલ્હી યુનિવર્સિટી (DU)ની લેડી શ્રી રામ કોલેજને બોમ્બની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, ડીયુની લેડી શ્રી રામ કોલેજમાં બોમ્બ વિસ્ફોટનો કોલ આવ્યો હતો. આ પછી, બે ફાયર એન્જિન ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે, તપાસ બાદ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સમાચાર પણ વાંચો... બેંગલુરુમાં 48 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બેંગલુરુ, કર્ણાટકમાં 48 ખાનગી સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેઇલ દ્વારા શુક્રવારે 1 ડિસેમ્બરે આપવામાં આવી હતી. તમામ સ્કૂલોને વારાફરતી એક ઈ-મેઇલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્કૂલોની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે. શાળા પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્કૂલમાંથી બહાર કાઢીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જયપુર સહિત 7 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જયપુર સહિત અડધા ડઝનથી વધુ એરપોર્ટ ડિરેક્ટરોને એરપોર્ટ અને પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલ ધમકીઓ મળી હતી. ઓફિશિયલ કસ્ટમર કેર આઈડી પર ઈમેલ મળ્યા બાદ જયપુર એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. માહિતી મળતાં CISF અધિકારીઓએ સ્થાનિક પોલીસની મદદથી એરપોર્ટ અને આવનારી ફ્લાઈટ્સની તપાસ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.