NEET પેપર લીક કેસમાં એક પત્રકારની ધરપકડ:CBIના ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા; અમદાવાદમાં સર્ચ શરૂ, પરીક્ષા કેન્દ્રો CBIના લિસ્ટમાં - At This Time

NEET પેપર લીક કેસમાં એક પત્રકારની ધરપકડ:CBIના ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા; અમદાવાદમાં સર્ચ શરૂ, પરીક્ષા કેન્દ્રો CBIના લિસ્ટમાં


NEET UG પેપર લીક કૌભાંડની તપાસમાં CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) જોડાયા બાદ નવા-જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. પેપર લીકનું એપીસેન્ટર ગોધરાને માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે CBIએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે. CBIની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલા લોકોની પણ હવે તપાસ થવાનાં એંધાણ છે. NEETની તપાસનો રેલો આણંદ સુધી પહોંચ્યો
NEETની પરીક્ષામાં ગેરરીતિ મામલે CBIના હાલ ગુજરાતમાં ધામા છે. ત્યારે આજે CBI દ્વારા આણંદમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ સવારે સીબાઈની ટીમ આણંદ પહોંચી હતી. આણંદમાં આવેલા જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના માલિક દીક્ષિતભાઈ પટેલના ઘરે સર્ચ હાથ ધર્યું હતું. નીટ પેપર કૌભાંડમાં CBIનું ખેડા-આણંદમાં સર્ચ
નીટ પેપર લીક થયા બાદ અનેક વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં થયાં હોવાની વાતો સામે આવી છે. એમાં પણ હવે આ સમગ્ર તપાસમાં CBI જોડાઈ છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી. ગોધરામાં ત્રણ દિવસથી CBIની ટીમ અલગ-અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે. ત્યારે હવે આ તપાસ મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ તરફ આગળ વધી છે. નીટના એક્ઝામ સેન્ટર સુધી પેપર પહોંચાડનાર, પરીક્ષાના સમયે હાજર રહેલા લોકો અને કેટલાક પરીક્ષાર્થીઓની પણ CBI પૂછપરછ કરશે એવી વાત હાલ સામે આવી રહી છે. અમદાવાદનું પરીક્ષા કેન્દ્ર પણ લિસ્ટમાં
ખેડા અને આણંદમાં નીટ પેપર લીકની તપાસની સાથે હવે આ તપાસ ગુજરાતના સૌથી મોટા સેન્ટર અમદાવાદ તરફ આગળ વધી છે. અમદાવાદમાં કેટલાક માફિયાઓનાં કનેક્શન પેપર લીક સાથે હોવાની આશંકાએ CBIને કોઈ લિંક ગોધરાથી મળી હોવાની વિગત સૂત્રો જણાવી રહ્યાં છે. આજે CBI દ્વારા અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ તપાસ કરવામાં આવશે. હાલ કેટલીક જગ્યાએ CBIની ટીમ પહોંચી ગઈ છે અને તેઓ મહત્ત્વની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ
NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમે હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી છે. આ કેસમાં પત્રકારની ભૂમિકા હજુ સુધી બહાર આવી નથી. પૂછપરછ બાદ નવી માહિતી સામે આવી શકે છે. અગાઉ હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. એહસાન ઉલ હક અને સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ ઈમ્તિયાઝની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે NEET UG પેપર લીક કેસમાં એક પત્રકારની પણ ધરપકડ કરી છે. પત્રકાર જમાલુદ્દીનની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક કેસમાં CBIની આ 5મી ધરપકડ છે. અગાઉ સીબીઆઈએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સીબીઆઈની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારનાં કનેક્શનને પણ શોધી કાઢ્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલો પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. પ્રિન્સિપાલની કોલ ડિટેલ્સ મારફત સીબીઆઈ પત્રકાર સુધી પહોંચી
પેપર લીક અને NEET પરીક્ષા દરમિયાન પત્રકાર અને પ્રિન્સિપાલ વચ્ચે સતત વાતચીત થઈ હતી. એહસાન ઉલ હકની કોલ ડિટેલ્સના આધારે પત્રકારને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સિસ યુનિટ (EOU)ની તેની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે જોડે છે, એની આગેવાની પર કામ કરીને CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે. ચીફના બે ખાસ ગુનેગારો CBI રિમાન્ડ પર
CBI પહેલાંથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ હેન્ડમેન ચિન્ટુ અને મુકેશની રિમાન્ડ પર પૂછપરછ કરી રહી છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી NEETનું પેપર લીક થયું હતું અને એમાં એહસાન ઉલ હક અને ઈમ્તિયાઝ આલમની ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. 3 દિવસ પહેલાં પણ ગળતેશ્વરના થર્મલમાં આવેલી શાળામાં ગોધરા CBI અને ગોધરા પોલીસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું દેશભરમાં ચકચાર મચાવનાર ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર મામલે તપાસ ચાલી રહી છે. હાલ તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે નીટ પરીક્ષા ષડયંત્રનો તપાસનો રેલો ગોધરાથી ગળતેશ્વર પહોંચ્યો હતો. ગળતેશ્વર તાલુકાના થર્મલમા આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBI અને ગોધરા પોલીસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. ગત મે માસમાં NEET UG-2024ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી હતી. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં 8 મેના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો હતો. તપાસમાં સી.બી.આઈ.ની ટીમ ખેડા જિલ્લાની થર્મલ નજીકની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી. CBIની ટીમ સાથે ગોધરા પોલીસની ટીમ પણ જોડાઈ હતી. સમગ્ર મામલે શું કહ્યું જિલ્લા પોલીસવડાએ?
જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ હું રજા પર છું પણ ગોધરા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. સીબીઆઈની ટીમ તપાસ અર્થે આવેલ એવી હકીકત જણાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.