“મધ્ય ગીરમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ગીર કનકાઈ માં ચૈત્રી નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરાશે” (જીતેન્દ્ર ઠાકર)
આદિ અનાદિકાળની પરંપરા મુજબ શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામ ગીર કનકાઈ માં ચૈત્રી નવરાત્રી નિમિત્તે પ્રથમ નોરતે માતાજીનું ધટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ હતી શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામમાં ચૈત્રી નવરાત્રી ઉત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે અષ્ટમીના દિવસે શાસ્ત્રોત વિધિથી હવન કરવામાં આવશે અને રામ નવમી ના દિવસે સીતારામ બાપુ જાડિયા વાળા દ્વારા ભવ્ય થી ભવ્ય રીતે રામ જન્મ સુધી ઉજવણી કરવામાં આવશે અષ્ટમી ના દિવસે હવનના મુખ્ય મનોરથી તરીકે શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગભાઈ ઓઝા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી રાજુભાઈ મહેતા તથા પૂજારી હરિભાઈ જાની તથા માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
