મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ:દિલ્હીથી બેંગકોક સુધી ધરા ધ્રુજી; ફ્લાયઓવર ધરાશાયી, સ્વિમિંગ પુલનું પાણી છલકાયું; લોકો મોલની બહાર દોડી ગયા
આજે (28 માર્ચ) શુક્રવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિઓસાયન્સીસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેનું કેન્દ્ર મંડલે શહેરની નજીક સ્થિત હતું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. મ્યાનમારમાં આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તરપૂર્વમાં મ્યાનમાર અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સરહદ ધરાવે છે. ભૂકંપની અસરના ફોટા... ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે
મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યાર બાદ 12:02 વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. સ્વિમિંગ પૂલનું પાણી છલકવા લાગ્યું
બેંગકોક પ્રશાસનનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે ઈમારતો પર બનાવેલા સ્વિમિંગ પૂલનું પાણી છલકવા લાગ્યું. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડલે શહેર નજીક હોવાનું કહેવાય છે. મ્યાનમારના મંડલે શહેરમાં ઇમારતો ધરાશાયી
મ્યાનમારમાં ઐતિહાસિક શાહી મહેલ માંડલે પેલેસના કેટલાક ભાગોને નુકસાન થયું છે. તે જ સમયે, ભૂકંપમાં સાગાઈંગ પ્રદેશના સાગાઈંગ ટાઉનશીપમાં એક પુલ સંપૂર્ણપણે ધરાશાયી થયો. રાજધાની નાયપિતાવ ઉપરાંત, ક્યાઉક્સે, પ્યિન ઓઓ લ્વિન અને શ્વેબોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ શહેરોની વસતિ 50 હજારથી વધુ છે. ભૂકંપને લગતા આ સમાચાર પણ વાંચો... દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા:3.1ની તિવ્રતાના આંચકાથી ધણધણ્યું ઉત્તર ભારત, બે અઠવાડિયામાં ત્રીજી વખત ધરતી ધ્રૂજી આજથી એક વર્ષ પહેલા દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. બીજી તરફ હરિયાણાના ઘણા ભાગોમાં ભૂકંપ આવ્યો હતો. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો... 3 કલાકમાં 50 વખત ધ્રૂજી ધરતી, 126નાં મોત:ચીનના તિબેટ પ્રાંતમાં ભૂકંપથી તબાહી, 400 કિમી દૂર નેપાળ-બિહાર-બંગાળમાં અસર; કંપારી છોડાવતા PHOTOS 3 મહિના પહેલા ચીનના તિબેટ પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ એ માહિતી આપી હતી કે, સવારે 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. સંપૂર્ણ સમાચાર વાંચો... દિલ્હી સહિત 5 રાજ્યમાં ભૂકંપ:સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા, બાંગ્લાદેશ સુધી ધરા ધ્રૂજી, 4.0ની તીવ્રતાના આંચકાથી ફફડાટ, PMએ સાવધાન રહેવાની અપીલ કરી દિલ્હી-એનસીઆરમાં 1 મહિના પહેલા તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી-એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
