સફાઇ કર્મીના પગાર, બોનસ અને ભરતીના પ્રશ્નો ઉકેલવા સૂચના, મનપા ઉકેલી નહીં શકે - At This Time

સફાઇ કર્મીના પગાર, બોનસ અને ભરતીના પ્રશ્નો ઉકેલવા સૂચના, મનપા ઉકેલી નહીં શકે


ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર આજે રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને તેમના પગાર સહિતના પ્રશ્નો અંગે તથા ભરતીમાં દાવેદારીના મુદ્દે રજૂઆત કરી હતી. જેના નિરાકરણ માટે ઉપાધ્યક્ષ પંવારે સૂચના આપી હતી, પરંતુ તે મુજબનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવાય તેવી કોઇ શક્યતા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.