જામનગરમાં રણજીતસાગર રોડ પર હાઈમાસ્ટ લાઈટ ટાવર ઉભા કરવા માંગ - At This Time

જામનગરમાં રણજીતસાગર રોડ પર હાઈમાસ્ટ લાઈટ ટાવર ઉભા કરવા માંગ


જામનગરમાં રણજીતસાગર રોડ પર હાઈમાસ્ટ લાઈટ ટાવર ઉભા કરવા માંગ

જામનગરમાં થતા હતા ટ્રાફિક ધમધમતા રણજીતસાગર રોડ પર હાઈમાસ્ટ લાઈટ ટાવર ઉભા કરવાની માંગ સાથે જામનગર કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી પાર્થ પટેલ જામનગર મહાનગરપાલિકાના કમિશનર લેખિત રજૂઆત કરી છે.

લેખિત રજૂઆતમા જણાવાયા અનુસાર જામનગર વોર્ડ નં.૧૫/૧૬ મા આવેલ રણજીતસાગર રોડ પર આવેલ કીર્તિ પાન પાસે ચાર રસ્તા અને સર્કલ પણ આવેલ છે. સતત લોકોની અવરજવર વચ્ચે રાત્રીના સમયે લોકોની અવર-જવર મોટા પ્રમાણ માં થતી હોય છે. જોકે આ વિસ્તારમાં એકપણ હાઈમાસ્ટ લાઈટ ટાવર ન હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં હાઈમાસ્ટ ટાવર ઉભો કરવા સબંધિત વિભાગને સૂચના આપવા જણાવાયું છે.

વધુમાં જામનગર વોર્ડ નં.૧૬ રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્ક અને વૃંદાવન સોસાયટી પાસે ચાર રસ્તા હોય અને રાત્રીના સમયે લોકોની અવર-જવર મોટા પ્રમાણમાં થતી હોય અને આ વિસ્તારમાં એકપણ હાઈમાસ્ટ લાઈટ ટાવર ન હોવાથી વિસ્તારવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને હાઈમાસ્ટ ટાવર ઉભો કરવા અંતમાં જણાવાયું છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.