પુત્રના ત્રાસથી કંટાળી લાચાર પિતાએ પોલીસ મથકમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ - At This Time

પુત્રના ત્રાસથી કંટાળી લાચાર પિતાએ પોલીસ મથકમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ


પુત્રના ત્રાસથી કંટાળી લાચાર પિતાએ પોલીસ મથકમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ

જામનગરમાં ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક આઘેડે પુત્રના ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા દોડધામ મચી ગઇ છે. જે મામલે જાણ થતાની સાથે જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ પોલીસ આ મામલે ઊંડી તપાસ આદરી છે.

આ અંગેની વિગત એવી છે શહેરમા રણજીત નગર હુડકો વિસ્તારમા રહેતા અરવિંદભાઈ સોલંકી નામના ૫૮ વર્ષીય આધેડે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જઈ ગઈકાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આથી તાત્કાલિક તેને સારવાર માટે જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યાં તબિયત ગંભીર જણાતા તાબડતોબ સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પુત્રના ત્રાસથી કંટાળી જતા આખરે લાચાર પિતાએ પોલીસ મથકે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે આગાઉ પણ પુત્ર પોતાનાં કહ્યા માં નહિ હોવાની અખબારોમાં જાહેરાત કરી હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.