લોરેન્સની બીકે ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા પપ્પુ યાદવ:પહેલાં લોરેન્સને ખતમ કરવાની વાત કરી, પછી ડરીને કહ્યું- મને માફ કરો; સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય જાણો - At This Time

લોરેન્સની બીકે ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા પપ્પુ યાદવ:પહેલાં લોરેન્સને ખતમ કરવાની વાત કરી, પછી ડરીને કહ્યું- મને માફ કરો; સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય જાણો


પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે હાલમાં જ લોરેન્સ બિશ્નોઈને લઈને નિવેદન આપ્યું હતું. પપ્પુ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'જો કાયદો મંજૂરી આપશે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દઈશ.' વેરિફાઇડ એક્સ યુઝર KPએ વાઇરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- આ છે સાંસદ પપ્પુ યાદવ...ગઈ કાલે બિશ્નોઈ ગેંગને ખતમ કરવાની વાત કરી રહ્યા હતા અને આજે રડી રહ્યા છે. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વીટ જુઓ: કૌશલ બંસલ નામના એક્સ યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યું- સવારે તો મોટી મોટી વાતો કરતા પપ્પુ યાદવ. કહેતા હતા કે 24 કલાકમાં બિશ્નોઈને ખતમ કરી દઈશ, માત્ર 4 કલાકમાં જ બધી વાતો ફુસ્સ થઈ ગઈ. હવે રડતાં-રડતાં કહી રહ્યા છે મારાથી ભૂલ થઈ ગઈ. પપ્પુ યાદવે આખરે પોતાને પપ્પુ સાબિત કરી જ દીધા. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વીટ જુઓ: વેરિફાઇડ એક્સ યુઝર રવિન્દ્ર પરમારે પણ પપ્પુ યાદવના વાઇરલ વીડિયોને ટ્વીટ કરતા લખ્યું- સવારે કહી રહ્યા હતા મને 24 કલાક આપો બિશ્નોઈને ખતમ કરી દઈશ અને 4 કલાકમાં જ રડતાં રડતાં માફી માગી રહ્યા છે પપ્પુ યાદવ ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: શું છે વાઇરલ વીડિયોનું સત્ય? અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે પપ્પુ યાદવનો રડવાનો આ વીડિયો આજકાલનો નથી પરંતુ વર્ષ 2018નો છે. તપાસ દરમિયાન અમને 6 સપ્ટેમ્બર 2018ના રોજ સિટી પોસ્ટ લાઇવ નામની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. વીડિયોમાં પપ્પુ યાદવે જણાવ્યું કે નારી બચાવો પદયાત્રામાં મધુબની જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની જાતિ વિશે પૂછવા પર કાર્યકરોને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ દરમિયાન પપ્પુ યાદવ ભાવુક જોવા મળ્યા હતા. વીડિયો જુઓ: તપાસ દરમિયાન, અમને આ ઘટના અંગે પપ્પુ યાદવ દ્વારા કરાયેલ એક ટ્વીટ પણ મળ્યું. ટ્વીટ જુઓ: તે જ સમયે અમને આજતક વેબસાઇટ પર આ ઘટના સાથે સંબંધિત સમાચાર મળ્યા. 06 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રકાશિત આ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે પપ્પુ યાદવે મુઝફ્ફરપુરમાં ગર્લ્સ હોમની ઘટના સામે મહિલાઓની સુરક્ષા માટે મધુબનીથી પટના સુધી પદયાત્રાની જાહેરાત કરી હતી. તેથી પપ્પુ યાદવ મધુબની જઈ રહ્યા હતા પરંતુ તે દરમિયાન ભારત બંધના સમર્થકોએ તેમના કાફલા પર હુમલો કર્યો. યાદવે એમ પણ કહ્યું કે જો તેની સાથે કોઈ સુરક્ષાકર્મી ન હોત તો તેમને મારી નાખવામાં આવ્યા હોત. (લેખની આર્કાઇવ લિંક ) લેખનો સ્ક્રીનશોટ: નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.