બીજા માળેથી પટકાતાં 39 વર્ષિય યુવાનનું મોત - At This Time

બીજા માળેથી પટકાતાં 39 વર્ષિય યુવાનનું મોત


રાજકોટમાં મોરબી રોડ પર પુનમ હોલ પાસે રહેતો 39 વર્ષિય રાજનાથ ચૌહાણ બીજાં માળેથી પટકાતાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો અને અહીં પેટ્યું રડવા આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ પર પુનમ હોલ પાસે રહેતો રાજનાથ ઉર્ફે બુધારામ મેવલાલ ચૌહાણ (ઉ.વ.39) નામનો યુવક ગઈ કાલ રાત્રીના પોતાનાં ઘરે હતો ત્યારે બીજા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ યુવકના પરિવારજનોને થતાં તુરંત દોડી ગયો હતો. અને યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને અહીં ઇમિટેશનનું મજુરી કામ કરતો હતો. તે બે ભાઈ અને બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.