સમસ્ત મહેર સમાજ આયોજિત નવરાત્રીમાં ચોથા નોરતે મોટી સઁખ્યામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. - At This Time

સમસ્ત મહેર સમાજ આયોજિત નવરાત્રીમાં ચોથા નોરતે મોટી સઁખ્યામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા.


ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, રમેશભાઈ ઓડેદરા(પટેલ), એસ. પી. ભગીરથસિંહ જાડેજા, ડી. વાય. એસ. પી.ઋતુરાબા સહિત આગેવાનોની ઉપસ્થિતિ.*

*આજે પાંચમા નોરતે મહેર સમાજના સૌ ખેલૈયાઓ અસલી પોશાક થી સજ્જ નોરતામાં રાસ ગરબા મણિયારાની રમઝટ બોલાવશે.*

ગોસા(ઘેડ)પોરબંદર તા.૦૭/૧૦/૨૦૨૪ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને સુદામા નગરી સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે પોરબંદર જાણીતું છે. ત્યારે નવરાત્રી ને વાત આવે તો નાની મોટી અનેક નવરાત્રી ગરબીઓ પોરબંદરમાં થાય છે. ત્યારે મહેર સમાજના રાસ ગરબાઓ, મણિયારો દેશ-વિદેશમાં વખણાય છે. ત્યારે ઓણ સાલ મહેર સમાજ આયોજિત નવરાત્રીમાં રાસ ગરબા. મણિયારા રાસમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી શલકાય છે. શ્રી મહેર સમા– શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪માં ત્રીજા નોરતે મહેર સમાજના હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડતા નવરાત્રીનું વિશાળ ગ્રાઉન્ડ છલો છલ છલકાઈ ગયું હતું.અને ગાયક વૃંદ કલાકારોમાં પણ અનેરો ઉસત્સાહ છલકાઈ ગયો હતો.
માં આદ્યશક્તિના ત્રીજા નોરતે માં શક્તિના ત્રીજા સ્વરૂપ “ચંદ્રઘટા”નું પૂજન કરવામાં આવે છે. આ દિવસે વિગ્રહનું પૂજન અને આરતી આરાધના કરવામાં આવે છે. સિંહની સવારી કરતા માતાજીને પ્રસાદ રૂપ દુધનો ભોગ ધરવામાં આવે છે આ પરંપરાને જાળવી મહેર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર તેમજ ગરબામાં દિપ પ્રજ્વલિત કરી માતાજીની આરતી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જ્ઞાતિજનો દ્વારા માતાજીના ત્રીજા સ્વરૂપની આરતી કરવામાં આવે છે.
નવરાત્રી રાસોત્સવએ મહેર જ્ઞાતિજનો સ્વચ્છ અને સુદ્રઢ વાતાવરણમાં સહપરિવાર માણી શકે તેમજ ખેલૈયાઓ ખુલ્લા પગે રમી શકે એવા આશયથી નવરાત્રી રાસોત્સવનું ગ્રાઉન્ડ દરરોજ સ્વચ્છતા કાર્યકર્તા શ્રી રાયદેભાઈ મોઢવાડિયા, શ્રી અરજનભાઈ ખુંટી શ્રી નીલેશભાઈ પરમાર તેમજ અધ્યક્ષશ્રી અરજનભાઈ ખીસ્તરીયા તથા નવઘણભાઈ બી. મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ સફાઈ તેમજ બેઠક વ્યવસ્થાની ખુરશી નિયમિત રીતે સાફ સફાઈ કરાવી સ્વછતા રાખે છે. તેમજ આરોગ્યની બાબતમાં ખાસ કાળજી રાખી નવરાત્રી રાસોત્સવમાં કેન્ટીન વિભાગમાં આરોગ્યપદ ખાણી-પીણીની વ્યવસ્થા સ્વચ્છતા સાથે તાજો ખોરાક બને એ બાબતે સંસ્થા દ્વારા કેન્ટીન નિરીક્ષણ કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં રામભાઈ ઓડેદરા, પૃથ્વીપાલભાઈ વિસાણા, ગીતાબેન વિસાણા, શાંતીબેન એમ.ઓડેદરા તથા માયાબેન ઓડેદરા દ્વારા નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં આવે છે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત મહેર નવરાત્રી રાસોત્સવ પોરબંદર ખાતે જ્ઞાતિજનો હજારોની સંખ્યામાં માતાજીના ગરબા રમી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય ત્રીજા નોરતે માતાજીના ગરબે રમવા આશરે ૮૦૦૦ મહેર જ્ઞાતિજનો સહપરિવાર સાથે જોડાયા હતા. તેમજ આમંત્રિત મહેમાનોમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા,પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, રમેશભાઈ ઓડેદરા(પટેલ), પોરબંદરના એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી,ઋતુ રાબા,સામતભાઈ ઓડેદરા,વિક્રમભાઈ ઓડેદરા,ભલાભાઈ મૈયારીયા,ભુરાભાઈ કેશવાલા,અજયભાઈ બાપોદરા નાગાજણભાઈ ઓડેદરા, તીર્થરાજભાઈ બાપોદરા,ધર્મેશભાઈ પરમાર, રામાભાઈ ઓડેદરા,કેશુભાઈ વાઢેર,
મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા, સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘણભાઈ એલ મોઢવાડીયા ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા,ડો. ગજેન્દ્રભાઈ ઓડેદરા, મનીષભાઈ બાપોદરા, મશરીજીભાઈ ઓડેદરા, માલદેભાઈ મોઢવાડિયા, તેમજ શિક્ષક સંઘ માંથી અરજનભાઈ ઓડેદરા, લાખણશીભાઈ ઓડેદરા, પ્રવીણભાઈ બોખીરીયા, સહિતના આગેવાનો તથા દાતાશ્રીઓ હાજર રહી માતાજીના ગરબે રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી શ્રેષ્ઠ ખેલૈયાઓને ગિફ્ટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.
નવરાત્રી રાસોત્સવના આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા,મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિ ના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા,ઉપપ્રમુખ તેમજ સહ અધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા,કન્વીનર પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તા ઓ તથા મહેર મહિલા મંડળ ના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.