ઑક્ટોબર મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું - At This Time

ઑક્ટોબર મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું


(અજય ચૌહાણ દ્વારા)
માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે 6 ઑક્ટોબરના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ - બોટાદમાં યોજાયું હતું. જેમાં રત્નાકર નાંગર, લાલજીભાઈ પારેખ, ચાંદની રોજેશરા, પ્રિયંકા ગોહિલ, કિન્નરી ઠાકર વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબના કાર્યવાહક કુલદીપ વસાણી, બટુક રવૈયા, કુલદીપ ખાચર, રાજેશ શાહ, પારસ જી. ઓગાણિયા અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગ્રૂપના બાળકો દ્વારા સંભાળવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.