રાણપુર શહેરના સીટી સર્વે નં-૩૫૬૧માં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા - At This Time

રાણપુર શહેરના સીટી સર્વે નં-૩૫૬૧માં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા


(અજય ચૌહાણ દ્વારા)
જિલ્લા કલેકટરશ્રી,બોટાદના માર્ગદર્શન તેમજ પ્રાંત અધિકારીશ્રી, બરવાળાની સુચનાનુસાર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા રાણપુર શહેરના સીટી સર્વે નં-૩૫૬૧માં આવેલ ૫૭(સત્તાવન) રહેણાંકી દબાણદારોને નોટીસ આપવામાં આવી હતી. જે અનુસંધાને મામલતદાર-રાણપુર તથા તેમની ટીમ દ્વારા ૨ JCB તથા ૨ ટ્રેકટર દ્વારા રહેણાંકી મકાનોના દબાણો દૂર કરી કુલ હે.આરે.૦૧-૮૦-૦૦ ચો.મી. સરકારી જમીન પરના દબાણો ખુલ્લા કરાવવામાં આવ્યા હતા તેમ મામલતદારશ્રી, રાણપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.