સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચોટીલા ચામુંડા માતાજી ને ધજા ચડાવવામા આવી હતી. - At This Time

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચોટીલા ચામુંડા માતાજી ને ધજા ચડાવવામા આવી હતી.


સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ પરીવાર દ્વારા નવરાત્રી દરમ્યાન શ્રી ચામુંડા માતાજી મંદીર ચોટીલા ખાતે ધજા ચડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પોલીસ અધીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાની અધ્યક્ષતામાં નવરાત્રીના બીજા દિવસે શ્રી ચામુંડા માતાજી મંદીર ચોટીલા ખાતે ધજા ચડાવી માતાજીની આરાધના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ તથા પોલીસ પરીવાર ના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઇ માતાજીની આરાધના કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આર. કે. તન્ના , જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, વી. એમ. પટેલ, મામલતદાર ચોટીલા, ઠક્કર સાહેબ, ટી.ડી.ઓ. ચોટીલા અને અન્ય અધિકારી અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.