**સિંગવડમા ઘટનામા હત્યાના આરોપીને ફાંસીની સજાની માંગ / દિલ્હી-મુંબઈ કોરીડોર હાઈવેમા ખેડુતોને મુળભુત સુવિધાઓ પુર્ણ કરવા ઝાલોદ કોગ્રેસ પાર્ટી દ્વારા પ્રાન્ત ઓફિસે ખાતે ઉગ્ર માંગ તેમજ રજુઆત કરાઈ** - At This Time

**સિંગવડમા ઘટનામા હત્યાના આરોપીને ફાંસીની સજાની માંગ / દિલ્હી-મુંબઈ કોરીડોર હાઈવેમા ખેડુતોને મુળભુત સુવિધાઓ પુર્ણ કરવા ઝાલોદ કોગ્રેસ પાર્ટી દ્વારા પ્રાન્ત ઓફિસે ખાતે ઉગ્ર માંગ તેમજ રજુઆત કરાઈ**


**સિંગવડમા ઘટનામા દુષ્કર્મ તેમજ હત્યાના આરોપીને ફાંસીની સજાની માંગ /તેમજ દિલ્હી - મુંબઈ કોરીડોર હાઈવેમા ખેડુતોને મુળભુત સુવિધાઓ પુર્ણ કરવા ઝાલોદ કોગ્રેસ પાર્ટીએ પ્રાન્ત ઓફિસે ઉગ્ર માંગ સાથે લેખિત રજુઆત કરી **

આજરોજ ઝાલોદ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તા. 03/10/2024 ગુરુવારના રોજ સવારે 10.00 ક્લાકે ખેડૂત આગેવાનો સહિત ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં ઝાલોદ મામલતદાર કચેરી બાજુ બાજુમાં હાઇવે પાસે એકઠા થઈ તોરણી -શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી નખાતા બાળકીના પરિવારને તેમજ બાળકી યોગ્ય ન્યાય મળે તે માટે હત્યારાને જાહેરમાં ફાંસી આપવામાં આવે તે બાબતે મામલતદારશ્રી કચેરીએ ઝાલોદ ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ તેમજ દિલ્હી - મુંબઈ કોરીડોર હાઇવેના ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ કેટલાય સમયથી પુર્ણ કરવામા આવી ના હોવાથી ખેડુતોની જમીન હાઇવેના કારણે છીનવાઈ જતાં અસરગ્રસ્ત ખેડૂતોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે તે અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તે માટે પ્રાંત અધિકારીશ્રી ઝાલોદને મોટી સંખ્યામાં રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદ લોકસભ ના પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવીયાડ અને દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઈ ડામોર તથા જયેશભાઈ સઁગાડા અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા. કલ્પેશભાઈ વસૈયા,ઝાલોદ મહિલા પ્રમુખ.પાર્વતીબેન ડામોર , શોભરાજભાઈ ડામોર, બચુભાઈ ગણાવા, નિમેષભાઈ ડામોર, સહિત મોટી સઁખ્યામાં ૧૪ ગામના અસરગ્રસ્ત ખેડૂતો,ખેડૂતો/સામાજિક આગેવાનો* / તેમજ જાહેર જનતા,ઝાલોદ શહેર અને ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિરોધ દર્શાવી રજૂઆત કરાઈ હતી....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.