પોરબંદરના સુદામા મંદિર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધી જન્મ જયંતી પ્રસંગે શ્રમદાન સાથે બાપુને સ્વચ્છાજલી અર્પણ કરી - At This Time

પોરબંદરના સુદામા મંદિર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધી જન્મ જયંતી પ્રસંગે શ્રમદાન સાથે બાપુને સ્વચ્છાજલી અર્પણ કરી


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
પોરબંદરના સુદામા મંદિર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે બીજી ઓક્ટોબર ગાંધીજી ની જન્મ જયંતિ ના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરી શ્રમદાન સાથે સ્વચ્છાજલી અર્પણ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વસ્થતા અભિયાન સ્વસ્થ ભારત મિશન ગ્રામીણના 10 વર્ષની ઉજવણી રૂપી અભિયાન આહવાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે પોરબંદરના સુદામા મંદિર ખાતે શ્રમદાન કરીને 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો મંત્ર આપનાર પૂજ્ય ગાંધીજીને તેમની જન્મજયંતીના અવસરે સ્વચ્છાંજલી અર્પણ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.