આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતી નિમિત્તે સિહોર નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર તથા સુતરની માળા પહેરાવીને તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,નગરપાલિકા ના પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, કરીમભાઈ સરવૈયા,નૌશાદ કુરેશી, યુવરાજ રાવ, પરેશભાઈ શુક્લ,છોટુભા રાણા,ધવલ પલાણીયા,માનસંગ ડોડીયા,પાર્થ ત્રિવેદી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.