જસદણમાં સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના 91માં જન્મ દિવસની ઉજવણી જસદણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી - At This Time

જસદણમાં સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના 91માં જન્મ દિવસની ઉજવણી જસદણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી


(રિપોર્ટ વિજય ચૌહાણ)
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા તેમજ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નો 91 મો જન્મ મહોત્સવ મુંબઈમાં ધામધૂમથી આધ્યાત્મિક રીતે ઉજવાયો. જેનું લાઈવ પ્રસારણ દેશ, વિદેશમાં ચેનલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. તે મુજબ જસદણના ખાનપર રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જસદણના હરિભક્તો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નો 91 માં જન્મદિવસના લાઈવ મહોત્સવનો લાભ લઇ, ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ની આરતી અને ત્યારબાદ પ્રસાદ લઇ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.