જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી : સાત શકુની ઝડપાયા - At This Time

જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી : સાત શકુની ઝડપાયા


જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી : સાત શકુની ઝડપાયા

જામનગરમાં ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૪,૬પ૦ કબ્જે કર્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો નિમેષ વિનોદભાઈ પરમાર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમી સિટી બી. ડિવિઝન પોલીસને મળી હતી. જેથી પોલીસ ટૂકડી ઘટનાસ્થળે જઈ દરોડો પાડતાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક નિમેષ વિનોદભાઈ પરમાર, નવિન ખીમજીભાઈ ચૌહાણ, પ્રિતેશ કરશનભાઈ નકુમ, ધીરજભાઈ પ્રાગજીભાઈ ખાણધર, વિજય રવજીભાઈ કણજારિયા, કેતન ધનજીભાઈ નકુમ અને હિતેષ દયાળજીભાઈ મઘોડિયા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧૪,૬પ૦ની રકમ કબ્જે કરી હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.