માળીયા હાટીનાના મજૂરનું ચોમાસા દરમિયાન ચાંદ્રાવડી ડેમ તણાવથી મોત બાદ તંત્ર દ્વારા પરિવારને ચાર લાખ ની સહાય અર્પણ - At This Time

માળીયા હાટીનાના મજૂરનું ચોમાસા દરમિયાન ચાંદ્રાવડી ડેમ તણાવથી મોત બાદ તંત્ર દ્વારા પરિવારને ચાર લાખ ની સહાય અર્પણ


માળિયા હાટીના દેવળીયા પાર્ક નજીક આવેલ ચાંદ્રાવડી ડેમ ના નજીકથી પરિવાર સાથે પસાર થતા માળીયા હાટીના ના રહેવાશી
ડગરા બાબુભાઈ પથુભાઇ પસાર થતી વેળાએ એકાએક પુર આવતા તણાઈ ગયા હતા જેઓને મૃતદેહ એન ડી આર આફ ની ટીમ તથા ફાયર કેશોદની સતત 48 કલાક જહેમત બાદ મળી આવ્યો હતો જેને જામનગર ખાતે ફોરેન્સિક લેબ માં પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડાયા બાદ ડૂબી જવાથી મોત થયાના રિપોર્ટ આવ્યા હતા
જેને લઇ મૃતકના પરિવાર ને આર્થિક સહાય માટે તા.વિકાસ અધિકારી મિલન પાવરા પ્રયાસો કરતા આજે તંત્ર દ્વારા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, તા . પ પ્રમુખ દિલીપ સિસોદિયા, સરપંચ જીતુ સિસોદિયા સહિત ની ઉપસ્થિતિ માં મૃતકના પત્ની શાંતા બેન ને રૂ ચાર લાખ ની સહાયનો ચેક અર્પણ કરી હતી.

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.