ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતોએ પાકને થયેલા નુકસાનનું વળતર મેળવવા આવેદનપત્ર આપ્યું - At This Time

ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતોએ પાકને થયેલા નુકસાનનું વળતર મેળવવા આવેદનપત્ર આપ્યું


સર્વે ટીમે વ્હાલા દવાલા નિતિ અપનાવી કેટલાક ખેડૂતોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ...

ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતોએ પાક નુકસાન નું વળતર મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨/૨૦૨૩ માં કમોસમી વરસાદ કરા અને વાવાઝોડાના કારણે ખેતી પાકોને મોટું નુક્સાન થયું હતું. સરકાર દ્વારા સહાય ની જાહેરાત કરતા સર્વે ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ભાભર તાલુકાના રડકીયા ગામના કેટલાક ખેડૂતોને સહાય ની યાદીમાં નામ ન આવતા અને સર્વે ટીમ દ્વારા વ્હાલા દોહલા નિતિ અપનાવી કેટલાક ખેડૂતોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરી રેલી રૂપે ભાભર મામલતદાર કચેરી એ આવીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે જ્યારે કુદરતી હોનારતમાં ખેતી પાકોને નુકસાન થાય અને સહાય ચુકવવામાં ત્યારે અધિકારી ઓની મિલીભગતથી એજ લોકો વારંવાર સહાયનો લાભ લેતા જોવા મળે છે અને ખરેખર જેને નુકસાન છે તેવા ખેડુતો સહાયથી વંચિત રહી જાય છે. અગાઉ ની સહાય યાદી ચેક કરી ખોટો લાભ લેતા લેભાગુ ખેડૂતો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.