ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ” યોજાશે - At This Time

ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભાદરવા વદ અમાસના દિને “સમૂહ સર્વપિતૃ તર્પણ” યોજાશે


શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના જે બી મોદી પાર્ક પાસે આવેલ ભરૂચ પાંજરાપોળ ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમુહ સર્વપિતૃ તર્પણ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારનાં ઋણ છે દેવઋણ,આચાર્ય ઋણ અને પિતૃઋણ, શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે, ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે “સમૂહ સર્વપિતૃ તર્પણ"નું આયોજન કરતા આવ્યા છે,જે અનુસાર આગામી ભાદરવા વદ અમાસને શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસને તારીખ 2 /10/2024 ને બુધવારના રોજ ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા 'સમુહ સર્વપિત તર્પણ" નું જે બી મોદી પાર્ક પાસે આવેલ ભરૂચ પાંજરાપોળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શ્રાદ્ધ પક્ષના પવીત્ર દિવસોમાં "સમુહ સર્વપિતૃ તર્પણ"ની પૂજામાં બેસવા માટે કૃણાલ દવે 96016 08-486 હરેશ પુરોહિત 9898073961, કૌશિક જોશી 97232 66525 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.