કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ દબાણ દૂરની ઝુંબેશ સર્વોચ્ચતાના શિખરે....* - At This Time

કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ દબાણ દૂરની ઝુંબેશ સર્વોચ્ચતાના શિખરે….*


*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ દબાણ દૂરની ઝુંબેશ સર્વોચ્ચતાના શિખરે....*
-----------------------------------------
*ઊનાના નાઠેજ ગામે સ્વેચ્છાએ લોકોએ આશરે ૧૨ કરોડની જમીન પરનું દબાણ દૂર કર્યું....*
-----------------------------------------
*નાવદ્રા ગામે કલેકટરની રૂબરૂ મુલાકાત બાદ સ્વયંભૂ દબાણ દૂરની કાર્યવાહી ચાલુ...*
-------------------------------------------
ગીર સોમનાથ,૨૦ સપ્ટે: જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહે ડી. જાડેજાના માર્ગદર્શન અને નેતૃત્ત્વ હેઠળ આજરોજ ઉના તાલુકાના નાંઠેજ ગામે ગૌચરની જમીન ઉપર ૧૬ દબાણદારોનું અંદાજે ૮૦,૯૩૭ ચો.મી. જેની અંદાજિત બજાર કિંમત ૮,૦૯,૩૭,૦૦૦/- ની કિંમતની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ હતું તેમજ હજુ પણ કાર્યવાહી ચાલુમાં છે.આમ,૨ દિવસમાં કુલ ૧,૨૧,૪૦૫ ચો.મી. જમીન જેની કિંમત રૂ.૧૨,૧૪,૦૫,૦૦૦/- ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે ગૌચરની જમીન ઉપર ૬ દબાણદારો દ્વારા ૯૭,૦૦૦ ચો.મી. કિંમત આશરે રૂ.૬,૬૦,૦૦, ૦૦૦/-(છ કરોડ સાઈઠ લાખ)રૂપિયાની જમીન પર દબાણ કરવામાં આવેલ.જે દબાણ ખુલ્લું કરાવવામાં આવ્યું હતું.હજુ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી આવતીકાલે ચાલુ રહેશે.

વધુમાં, વેરાવળ તાલુકાના નાવદ્રા ગામમાં કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત પછી સ્વૈચ્છિક રીતે ૫૫ દબાણદારો દ્વારા રસ્તા ઉપરના દબાણો અંદાજે ૨૨૦૦ ચો.મી. નું ૮,૮૦,૦૦૦/-(આઠ લાખ એસી હજાર)રૂપિયાની પંચાયત હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આમ, આજરોજ જિલ્લામાં કુલ ૧૪,૭૮,૧૭,૦૦૦/- ની જમીન ખુલ્લી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.