જામનગર મહાનગર પાલિકા ની ટીમે પકડેલી ગાય ગુમ:ઢોરમાલિકે બારોબાર ગાય વેંચી માર્યાની કરી ફરિયાદ - At This Time

જામનગર મહાનગર પાલિકા ની ટીમે પકડેલી ગાય ગુમ:ઢોરમાલિકે બારોબાર ગાય વેંચી માર્યાની કરી ફરિયાદ


જામનગર મહાનગર પાલિકા ની ટીમે પકડેલી ગાય ગુમ

ઢોરમાલિકે બારોબાર ગાય વેંચી માર્યાની કરી ફરિયાદ

જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાય હાલ ઢોર ના ડબ્બામાં જોવા મળતી નથી. આ અંગે ઢોરમાલિક દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.અને ફરિયાદ કરી.છે.

શહેરના મોહનનગરમાં રહેતા બાંધકામના ધંધાર્થી કિશોરભાઈ દેવસીભાઈ નકુમ એ પોતાની ગાય ઘર નજીકના વિસ્તારમાં છોડી હતી જ્યારે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી કરતી શાખા દ્વારા ગાયને પકડી લેવામાં આવી હતી અને હાપા માર્કેટ યાર્ડ પાસેના ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવી હતી, અને ત્રણેક દિવસ પછી કિશોરભાઈ ઢોરના વાડામાં ગયા હતાં જ્યાં તેમને પોતાની ગાય જોવા મળી ન હતી.

આ અંગે તેમણે મ્યુનિ. કમિશનર અને પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે અને એવો આક્ષેપ કયો છે કે પોતાની ગાય બારોબાર વેંચી નાખવામાં આવી છે અથવા તો કલતખાને ધકેલી દેવામાં આવી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.