ખેરાલુમાં સૂર્યનારાયણ ભગવાનની નગરયાત્રા - At This Time

ખેરાલુમાં સૂર્યનારાયણ ભગવાનની નગરયાત્રા


ખેરાલુ શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે વહીવંચા બારોટ સમાજે તેમના આરાધ્ય દેવતા ભગવાન સૂર્ય નારાયણની પાલખીમાં મૂર્તિ સ્થાપિત કરી 175 મી શોભાયાત્રા કાઢી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભગવાન સૂર્ય નારાયણના મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.યાત્રાના રૂટ પર વિવાદિત સ્થળો આવતા હોવાથી પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવ્યો હતો.શોભાયાત્રા મંદિરથી, હાટડીયા, હિંગળાજ ચોક થઈ નગરના રાજમાર્ગો પરથી પસાર થતાં ઠેર ઠેર ભાવિક નગરજનોએ પ્રભુ સૂર્યનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.