**ઝાલોદ આપ પાર્ટી પ્રમુખે તાલુકાની જર્જરિત આંગણવાડી ઓરડાઓનુ આધુનિક સુવિધાઓ સાથે સમારકામ કરાવવા રજૂઆતો કરી** - At This Time

**ઝાલોદ આપ પાર્ટી પ્રમુખે તાલુકાની જર્જરિત આંગણવાડી ઓરડાઓનુ આધુનિક સુવિધાઓ સાથે સમારકામ કરાવવા રજૂઆતો કરી**


**ઝાલોદ તાલુકાની જર્જરિત આંગણવાડી ઓરડાઓનુ આધુનિક સુવિધાઓ સાથે સમારકામ કરવા આપ પ્રમુખે રજૂઆત કરી **

હાલ સરકાર દરેક બાળકને પાયાનુ શિક્ષણ ફરજિયાત પ્રાપ્ત કરે તે અંતર્ગત
વિવિધ યોજના થકી બાળકોને અભ્યાસ પ્રત્યે રુચિ દાખવવાના અથાગ પ્રયાસો કરાતા હોય છે, પરંતુ ઝાલોદ તાલુકાની અનેક આંગણવાડીઓ હજી પણ જર્જરિત હાલતમા હોવાથી ભુલકાઓ ભાડાના મકાનમા અભ્યાસ કરવા મજબુર બન્યા છે, ત્યારે ભાડાના મકાનમા અભ્યાસ કરતા બાળકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જતા હોય છે,જો આ જર્જરિત આંગણવાડીઓને આધુનિક સુવિધાસભર સજ્જ કરવામા આવે તો દરેક બાળકને પુરતો અભ્યાસ મળવાપાત્ર રહે સાથે જ બાળકને અભ્યાસમા વધુ રુચિ દર્શાય શકે તેમ છે,ત્યારે ઝાલોદ તાલુકાની જર્જરિત આંગણવાડીઓ હોવાથી તેમજ સરકારશ્રીના ટેન્ડરમા પણ લીધેલ હોવા છતા બાળકો પાયાના શિક્ષણ- આધુનિક સુવિધાઓથી વંચિત રહી જતા હોવાની વિગતો જણાય આવે છે,જો જર્જરિત ઓરડાનુ આધુનિક સુવિધાસભર નવીન બાંધકામ કરાવવા આવે તે હેતુસર ઝાલોદ આપ પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયાએ ઝાલોદ પ્રોગ્રામ ઓફિસર સાહેબ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ શાખા ઝાલોદ તા.પંચાયતે રુબરુ જઈ લેખિત રજૂઆત કરી હતી અને જો ત્વરિત કામગીરી નહી કરાશે તો આવનાર સમયે આમ આદમી પાર્ટી ઝાલોદ દ્વારા ગાંધી ચિધયા માર્ગે આંદોલન કરવામા આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.