પાસા ધારા હેઠળ અટકાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરાતા કુખ્યાત આરોપીને વડોદરા મઘ્યસ્થ જેલ ભેગો કરાયો....* - At This Time

પાસા ધારા હેઠળ અટકાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરાતા કુખ્યાત આરોપીને વડોદરા મઘ્યસ્થ જેલ ભેગો કરાયો….*


* *પાસા ધારા હેઠળ અટકાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરાતા કુખ્યાત આરોપીને વડોદરા મઘ્યસ્થ જેલ ભેગો કરાયો....*
-----------------------------------------
* *આરોપી નઝીર ઉર્ફે માયો ભીખા સમાની ભયજનક વ્યક્તીની કેટેગરીમાં અટકાયત......*
-------------------------------------------

ગીર સોમનાથ ,તા.૮મી સપ્ટેમ્બર: જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ નઝીર ઉર્ફે માયો ભીખા સમા, રહે.ઉના કે જેઓ વિરુદ્ધ ઉના પો. સ્ટે. ખાતે તેઓ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને વારંવાર ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ત્રણ જેટલા ગુન્હા વર્ષ ૨૦૨૪માં નોંધાયેલ હતા.

આ ઈશમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.૦૭/૦૯/૨૦૨૪ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મઘ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.